Western Times News

Gujarati News

મે મહિનામાં કોરોનાનો સૌથી વધુ કહેર, ૭૧ લાખથી વધારે દર્દીઓ નોંધાયા

નવીદિલ્હી: કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ દેશે તાજેતરમાં તે તબક્કો પણ જાેયો જ્યારે દરરોજ ચાર લાખથી વધુ દર્દીઓ નોંધાતા હતા. આ જ કારણ છે કે, મે મહિનાને આ મહામારીનો સૌથી ઘાતક મહિનો માનવામાં આવે છે. માત્ર ૨૧ દિવસમાં દેશમાં ૭૦ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. મૃત્યુના સંદર્ભમાં પણ આંકડા ભયજનક છે. પ્રથમ લહેરની તુલનામાં સેકન્ડ વેવના કારણે વધુ તબાહી મચી છે.

મે મહિનામાં કોરોના સંક્રમણનો ૭૦ લાખનેના આંકડાને પાર કરી ગયો. આ મહિનામાં અત્યાર સુધીમાં ૭૧.૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડ -૧૯ ને કારણે ૮૩ હજાર ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત એપ્રિલમાં આ આંકડો ૪૮ હજાર ૭૬૮ હતો. તે દરમિયાન ચેપના કુલ ૬૯.૪ લાખ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે શરૂ થયેલા રોગચાળાના સંક્રમણના કુલ કેસોમાં ૨૭ ટકાથી વધુ માત્ર મે મહિનામાં જ જાેવા મળ્યાં હતાં.એવું કહેવામાં આવે છે કે,

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાયરસની પ્રથમ તરંગ ટોચ પર હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે, તે દરમિયાન લગભગ ૨૬.૨ લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે, મોતની સંખ્યા ૩૩.૩ હજાર હતી. તે જ સમયે, ઓગસ્ટ ૨૦૨૦માં ચેપના ૧૯.૯ લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક ૨૮.૯ હજાર થયો હતો.

મે મહિનામાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ ૪ હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જાેકે, આમાં જૂની મૃત્યુના આંકડા પણ શામેલ છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨ લાખ ૫૭ હજાર ૨૯૯ નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સમય દરમિયાન, વાયરસને કારણે ૪ હજાર ૧૯૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સારા સમાચાર એ છે કે, એક જ દિવસમાં ૩ લાખ ૫૭ હજાર ૬૩૦ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

ભારત માં દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૬૨ લાખ ૮૯ હજાર ૨૯૦ થઈ ગઈ છે. રોગચાળામાં અત્યાર સુધીમાં ૨ લાખ ૯૫ હજાર ૫૨૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા ૨૯ લાખ ૨૩ હજાર ૪૦૦ છે. આ વર્ષે માર્ચની શરૂઆત પછી, કેસોમાં વધારો થવાનું શરૂ થયું. નિષ્ણાંતો હજી પણ ગ્રામીણ ભારતમાં ચેપની તીવ્ર ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.