Western Times News

Gujarati News

જેલમાં સજા ભોગવી રહેલા દુષ્કર્મના આરોપી રામ રહીમની તબિયત લથડી

રોહતક: બે સાધ્વીઓના બળાત્કારના કેસમાં રોહતકની સુનારીયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમની તબિયત લથડી હતી. પેટમાં દુખાવાને કારણે રામ રહીમને આઈજીઆઈ રોહતક લાવવામાં આવ્યો હતો. રામ રહીમને આજે સવારે સાત વાગ્યાની આસપાસ ચુસ્ત સુરક્ષા હેઠળ જેલથી પીજીઆઈ લાવવામાં આવ્યો હતો. લગભગ ૨ કલાક પછી, તે ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો છે.

બાબા રામ રહીમને રાખવામાં આવેલા પીજીઆઈ વોર્ડમાં સુરક્ષાની વધારાની બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને નાયબ પોલીસ અધિક્ષકને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડોક્ટરોએ લગભગ બે કલાક સુધી તેની તપાસ કરી. આ પછી તેને ફરીથી કડક સુરક્ષા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ અગાઉ ૧૨ મેના રોજ રામ રહીમને કોરોનાની આશંકાને લીધે સુરક્ષા વચ્ચે રોહતક પીજીઆઈમાં દાખલ કરાયો હતો. રામ રહીમને પીજીઆઈ લાવવા પહેલાં સુનારીયા જેલથી પીજીઆઈમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે તેને પીજીઆઈના ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ રહીમ પહેલાથી જ સુગર અને બીપીનો દર્દી છે અને તે સતત દવાઓ પણ લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે તેની બાજુથી ગભરાટની ફરિયાદ થઈ ત્યારે પોલીસ પ્રશાસને તેમને પીજીઆઈમાં દાખલ કરવાનો ર્નિણય કર્યો હતો. રામ રહીમની તબિયત તપાસ ૧૨ મેની મોડી સાંજ સુધી ચાલી રહી હતી અને તેમની સારવાર ડોકટરોની વિશેષ ટીમે કરી હતી.

ચિંતાની વાત એ પણ હતી કે સુનારીયા જેલમાં કોરોનનો ભયંકર વિસ્ફોટ થયો હતો અને ઘણા કેદીઓ પોઝીટીવ જાેવા મળ્યાં હતાં. આને કારણે જેલ પ્રશાસને પણ રામ રહીમને હોસ્પિટલમાં દાખલ કરવાનો ર્નિણય લેવો પડ્યો. જાેકે, રામ રહીમને થોડા દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.