Western Times News

Gujarati News

જગન્નાથજી મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પુરજાેશમાંઃ સરકારની લીલી ઝંડીની પ્રતિક્ષા

અમદાવાદ, કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા મામલે હજીપણ અસમન્જસની સ્થિતિ જાેવા મળી રહી છે. દિવસભર રથયાત્રા નિકળશે તેવો આખરે ર્નિણય લેવાઈ ચૂક્યો છે. તેવી ચર્ચા ના કારણે ભાવીભક્તોં આનંદ આવી ગયા હતા.

પરંતુ સરકાર તરફથી આ અંગે ચોક્કસ જાહેરાત થઈ ન હોવાથી શહેરીજનોમાં મોડીસાંજે નિરાશા જાેવા મળી હતી. જાેકે કેટલાંક લોકો ચોક્કસ પણે માની રહ્યા છે કે આ વર્ષે ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળશે અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે.

રથયાત્રાના આયોજન સાથે સંકળાયેલી ઉચ્ચસ્તરીય વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી છે. કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા નિકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નિકળશે તે નક્કી થઈ ગયું છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નિકળે તે દરમિયાન રુટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્‌યુ લાદવાની પણ વિચારણા છે.

ગત વર્ષે કોરોના કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જાે કે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. રથયાત્રાને નીકળવાને લઈ અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં ૧૨ જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જાે કે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જાેડાય.

ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૧૪૪મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે. પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઉભી રાખવામાં નહીં આવે.

ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. ૧૦ જુલાઈના રોજ યોજાનાર ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહી શકે છે. રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં થાય અને ભગવાન ૧૦ મિનિટ જેટલું જ રોકાણ કરશે.

મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે. સરસપુર ખાતે ભગવાનને મામેરૂ અર્પણ કરી તુરત જ રથ રવાના કરી દેવામાં આવશે. બપોરે ૧૨થી ૧ વાગ્યાની આસપાસ રથ નિજમંદિરે પરત પહોંચી જશે. બપોર બાદ મંદિરમાં લોકો રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી શકશે. મંદિરે તમામ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને ગાઇડલાઇન મુજબ દર્શન કરશે.

જાે કે, પરંપરા અનુસાર રથયાત્રામાં લોકોને મગ જાબુંનો પ્રસાદ પણ આપવામાં આવશે. મર્યાદિત લોકોની હાજરીમાં જ રથયાત્રા યોજાય તેવી પુરી શક્યતા જાેવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત સાથે રથયાત્રાને લઈ દરરોજ ચર્ચા કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી સહિતના નેતાઓને આમંત્રણ પણ આપવામા આવશે. જાેકે સરકારની જાહેરાત બાદજ આ પ્રક્રિયા થઈ શકે છે.

જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા કાઢવા મામલે આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ રથયાત્રા નિમિત્તે મગનો પ્રસાદ સ્વીકારવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા મંદિરમાં પ્રસાદ માટે મગ આપવામાં આવી રહ્યા છે. મંદિરના સૂત્રો મુજબ રથયાત્રામાં ત્રણેય ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે.

જે ખલાસીઓએ વેકસીન લઈ લીધી છે તેઓના લિસ્ટ મંગાવવામાં આવ્યા છે. એક રથ સાથે માત્ર ૪૦ ખલાસીઓ હાજર રહેશે. જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મંગાવવામાં આવ્યું છે.

૧૫૦ જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ ૧૫૦ ખલાસી એવા હશે જેમને વેક્સીનેટેડ કરી દેવાયા હશે. રથયાત્રા પહેલા મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરમાં સેવા આપતા મોટાભાગના સેવકોએ વેકસીન લઈ લીધી છે. રથયાત્રા પહેલા જાેડાનાર સેવક- સ્વયંસેવકોએ વેકસીન લેવાની રહેશે. જેના માટે જગન્નાથ મંદિર પરિસરમાં પણ વેકસીનનો કેમ્પ લગાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.