Western Times News

Gujarati News

હું હજી ધ કપિલ શર્મા શોનો ભાગ છુંઃ અર્ચના પૂરણ સિંહ

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી તેવી ચર્ચા થઈ રહી છે કે, અર્ચના પૂરણ સિંહ કે જે ધ કપિલ શર્મા શોની સ્પેશિયલ જજ છે, તે શોની આગામી સીઝનમાં નહીં જાેવા મળે. જાે કે, જ્યારે અર્ચનાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. અર્ચના પૂરણ સિંહે જણાવ્યું કે, મને આવી માહિતી વિશે જાણ નથી. હું ધ કપિલ શર્મા શોની અપકમિંગ સીઝનનો ભાગ બનવા જઈ રહી છું. ગયા વર્ષે જ્યારે હું ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ આવી અફવાઓ શરૂ થઈ હતી. આ વર્ષે પણ હું સીરિઝનું શૂટિંગ કરી રહી છું અને લોકો ધારી રહ્યા છે કે મેં શો છોડી દીધો છે.

આ અફવાઓમાં કંઈ સત્ય નથી. અર્ચનાએ ઉમેર્યું કે, હું હાસ્યનો આનંદ લઉ છું અને એક્ટર્સને સ્ટેજ પર પર્ફોર્મ કરતા જાેઉ છું. તે મનોરંજક છે અને કપિલે મને શોનો ભાગ બનવા માટે પસંદ કરી છે તે હકીકત અદ્દભુત છે. હું આવનારી તમામ સીઝનનો ભાગ બનવા માટે પણ ઉત્સુક છું. ઉલ્લેખનીય છે કે, અર્ચના પૂરણ સિંહ પહેલા રાજનેતા અને પૂર્વ ક્રિકેટર નવજાેત સિંહ સિદ્ધૂ આ શોનો ભાગ હતા. કેટલાક વિવાદોના કારણે તેમને સ્પેશિયલ જજની ખુરશી પરથી હટાવવાની માગ ઉઠી હતી. જે બાદ તેમને અર્ચનાએ રિપ્લેસ કર્યા હતા. આ વાતને લઈને ‘ધ કપિલ શર્મા શોની આખી ટીમ તેની મજાક ઉડાવતી રહે છે.

અર્ચના પૂરણ સિંહ ઘણા સમયથી કોમેડી શોનો ભાગ રહી છે. અલગ રીતે હસવા માટે જાણીતી અર્ચનાએ આ પહેલા કોમેડી સર્કસ શો પણ જજ કર્યો હતો. પર્સનલ ફ્રંટની વાત કરીએ તો, અર્ચના પૂરણના બે દીકરા આર્યમાન અને આયુષ્માન ઉભરતા એક્ટર છે. આ અંગે પૂછતાં અર્ચનાએ જણાવ્યું ‘હા, તેઓ અન્ય સામાન્ય યુવાનોની જેમ મહેનત કરી રહ્યા છે અને ઓડિશન આપી રહ્યા છે. હકીકતમાં, મારા મોટા દીકરાએ ઘણા ઓડિશન આપ્યા છે

હું કહી શકું છું કે તે સારા પ્રોજેક્ટ માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. આ સિવાય એક્ટરનો દીકરો કે દીકરી કહેવું સરળ છે પરંતુ અમારા કેસમાં એવું નથી. મને ગર્વ છે કે મારા દીકરાઓ મહેનત કરી રહ્યા છે અને તેમને કોઈ ખાસ ટ્રિટમેન્ટ પણ નથી આપવામાં આવી રહી કારણ કે તેઓ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવી રહ્યા છે. આશા છે કે, તેઓ ટૂંક સમયમાં શો બિઝમાં તેમની જર્ની શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.