Western Times News

Gujarati News

પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માટે આદેશ

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના સંક્રમણના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકોમાં રોષ જાેવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે જુલાઇથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વિકારી લેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને ૩૧ જુલાઇ સુધી શાળાનો સમય સવારનો કરવાની સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા હોવા છતાં શાળાઓ ખોલવા અંગે હજુ સુધી કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.