Western Times News

Gujarati News

સુરક્ષા દળોના ઓપરેશન પર પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ સવાલો ઉઠાવ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ સવાલો ઉઠાવ્યા છે, અને સરકારના આ આરોપો પર જવાબ માંગ્યા છે.
મુફતિએ ટિ્‌વટર પર એક સ્થાનિક પત્રકારના ટ્‌વીટને કોટ કરતા લખ્યું, ‘જમ્મુ-કાશ્મીરમાં દરરોજ એન્કાઉન્ટર્સ થાય છે, પરંતુ જ્યારે કાયદેસરના સવાલો ઉભા થાય છે.

ત્યારે સુરક્ષા દળોને જવાબદાર ગણવા જાેઇએ. કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ૧૭ વર્ષના સગીરના માતા-પિતાએ દાવો કર્યો છે કે તે નિર્દોષ નાગરિક હતો. આ આરોપ પર સ્પષ્ટતા થઈ જાેઈએ.

બીજી તરફ આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં મોટી કાર્યવાહી કરતાં શુક્રવારે સુરક્ષા દળોએ વધુ ૫ આતંકીઓને ઠાર કર્યા છે.

માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર નિશાજ લોન પણ શામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી (શ્રીનગર ઝોન) વિજય કુમારે કહ્યું કે પુલવામાના હંજિન રાજપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો છે. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને ૫ આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.