Western Times News

Gujarati News

એક હોસ્પિટલમાં હોવા છતાં શાહ દિલીપ કુમારને ન મળ્યા

મુંબઈ,: સાત જુલાઈ, ૨૦૨૦ના રોજ બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઈ ગયું, અને તે જ દિવસે નસીરુદ્દીન શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. નસીરુદ્દીન શાહ પણ તે જ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં દિલીપ કુમારે પોતાના અંતિમ શ્વાસ લીધા. ફેફસામાં ઈન્ફેક્શન થયું હોવાને કારણે નસીરુદ્દીન શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીમારીને કારણે તેઓ દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા તેમના ઘરે પણ ના જઈ શક્યા અને કબ્રસ્તાન પણ ના જઈ શક્યા. નસીરુદ્દીન શાહે ખુલાસો કર્યો કે, સાયરા બાનો તેમને મળવા ગયા હતા.

દિલીપ કુમાર નસીરુદ્દીન શાહની તબિયત વિષે જાણવા માંગતા હતા, માટે તેમણે સાયરા બાનોને તેમની પાસે મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૯ જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાને કારણે દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, સાયરા બાનોએ મારા માથા પર હાથ ફેરવ્યો અને મને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું કે, સાહેબ તમારા વિષે પુછી રહ્યા હતા. નસીરુદ્દીન શાહ જણાવે છે કે,

હું તેમની વાત સાંભળીને ભાવુક થઈ ગયો. હું હોસ્પિટલમાં રજા મળે તે પહેલા તેમને મળવા માંગતો હતો. પરંતુ દુર્ભાગ્યવશ જે દિવસે મને રજા મળી દિલીપ સાહેબ તે જ દિવસે દુનિયા છોડીને જતા રહ્યા. મને તેમની સાથે અંતિમ મુલાકાત ના કરી શકવાનો અફસોસ કાયમ રહેશે. એક સમયે હું એક અઠવાડિયા સુધી તેમના ઘરે રોકાયો હતો. તેમણે મને કહ્યુ હતુ કે મારે ઘરે પાછા જતું રહેવું જાેઈએ અને અભ્યાસ પૂરો કરવો જાેઈએ. નસીરુદ્દીન શાહ જણાવે છે કે દિલીપ કુમાર તેમના પિતા અને મોટી બહેન સકીના આપાને ઓળખતા હતા. નસીર ઘર છોડીને એક્ટર બનવા માટે આવ્યા હતા. નસીરુદ્દીન શાહે દિલીપ કુમાર સાથે સુભાષ ઘઈની ફિલ્મ કર્મામાં કામ કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.