Western Times News

Gujarati News

અનુપમાના કલાકારો ઉપર TRP નું જબરદસ્ત દબાણ?

મુંબઈ: ખૂબ જ ઓછા એવા ટીવી શો છે જેને ખૂબ ઝડપથી લોકપ્રિયતા મળી છે અને અનુપમા તેમાંથી એક છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર આ સીરિયલ શરૂ થઈ ત્યારથી દર્શકોનો પ્રેમ મેળવી રહી છે અને ટીઆરપી ચાર્ટમાં પણ ટોપ પર છે. આ રીતના સફળ શોના ભાગ હોવાથી શું નંબર જાળવી રાખવાનું દબાણ હોય છે? તે અંગે સુધાંશુ પાંડે ઉર્ફે વનરાજ શાહે વાત કરી છે. સુધાંશુ પાંડેએ કહ્યું મને ખબર હતી કે આ મોટું જાેખમ રહેવાનું છે પરંતુ મને વિશ્વાસ હતો કે આ પ્રકારના વિષયને લોકો પસંદ કરશે જ.

આટલું થયા બાદ પણ મેં નંબર વિશે વિચાર્યું નહીં, જાે વિચાર્યું હોત તો આ બધું કરી શકત નહીં. હું માત્ર પોતાનું કામ કરું છું. બસ એટલું ધ્યાન રાખું છું કે એક એક્ટર હોવા તરીકે મારે પ્રામાણિકતાથી ૧૦૦ ટકા આપવાનું છે. જ્યાં સુધી તમે આમ કરી રહ્યા છો, તો દર્શકો પણ તમને પસંદ કરશે અને તમારી સાથે જાેડાયેલા રહેશે. હું ઈમોશન્સ સાથે મારા પાત્રને ભજવું છું અને આ જ મારા માટે કામ કરે છે. સુધાંશુ પાંડેએ આગળ કહ્યું ‘નંબર્સ ક્યારેય પણ મારી સ્કીમમાં નહોતા કારણ કે આ બાબતો એ નથી,

જે હું જાેઉ છું અને વિચારું છું, આ એ નથી જે મારા મગજમાં હતું. હું એ બાબત પહેલાથી જાણતો હતો કે જાે હું લીડ રોલ કરીશ તો મારા પર નંબરનું દબાણ રહેશે. આ એકદમ અલગ શો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુધાંશુ પાંડે સીરિયલ છોડી દેવાનો હોવાના સમાચાર હતા. જાે કે, આ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રોડ્યૂસર રાજન શાહીએ કહ્યું હતું કે, ‘સુધાંશુ પાંડે અમારા શોનો મહત્વનો ભાગ છે. તે આપણો વનરાજ રહેશે’. આ સિવાય સીરિયલમાં થનારી નવી એન્ટ્રી અંગે કહ્યું હતું ‘જ્યાં સુધી શોમાં નવા પાત્રની એન્ટ્રીની વાત છે, ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ પાત્ર શોમાં જાેડાશે પરંતુ હજી સુધી કોઈ કાસ્ટિંગ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.