Western Times News

Gujarati News

હવે દીકરીથી દૂર નહીં જાઉં રાજા ચૌધરીનો નિર્ણય

મુંબઈ: માર્ચ ૨૦૨૧માં જ્યારે રાજા ચૌધરી ૧૩ વર્ષ બાદ પોતાની દીકરી પલક તિવારીને મળ્યો ત્યારે તે ખૂબ ખુશ થઈ ગયો હતો. રાજા ચૌધરી પોતાની દીકરી પલકને મળતા ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. ત્યારે રાજા ચૌધરીને એ વાતનો અહેસાસ થયો હતો કે તેણે દીકરી સાથે વધારે સમય પસાર કરવો જાેઈએ. માટે રાજા ચૌધરીએ મુંબઈ શિફ્ટ થવાનો પ્લાન બનાવ્યો હતો. હવે રાજા ચૌધરી મુંબઈ શિફ્ટ થઈ ગયો છે અને દીકરી પલક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે.

અહીં નોંધનીય છે કે શ્વેતા તિવારીએ ૧૯૯૮માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં એક્ટ્રેસે રાજા ચૌધરી પર મારપીટનો આરોપ લગાવતા વર્ષ ૨૦૦૭માં છૂટાછેડા લીધા હતા. રાજા ચૌધરી ભલે શ્વેતા તિવારીથી અલગ થઈ ગયો હોય પણ દીકરી પલકની ખૂબ નજીક છે. પલક પણ રાજા ચૌધરીને ડેડી કહીને બોલાવે છે અને ખૂબ માન આપે છે. રાજા ચૌધરીએ હાલમાં જ દીકરી પલક સાથે પોતાના બર્થ-ડેને ઉજવણી કરી. રાજા ચૌધરીએ જણાવ્યું કે હવે તેણે દીકરી પલક માટે થઈને મુંબઈમાં રહેવાનો ર્નિણય લીધો છે. જ્યારે રાજા ચૌધરીની દીકરી પલક સાથે મુલાકાત થઈ ત્યારે તેણે નક્કી કરી લીધું હતું

તે હવે મુંબઈમાં રહેશે અને ફરી પોતાનું કરિયર શરૂ કરશે. મુંબઈમાં મારું ઘર અગાઉથી છે. રાજા ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ‘મેં બૉડી બનાવવાનું શરૂ કર્યું છે અને ટીવી, ફિલ્મો, વેબ શૉ માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું છે. હું કોઈપણ રોલ કરીશ કારણકે મારો હેતુ પૈસા કમાવવા અથવા ફેમસ થવાનો નહીં પણ મુંબઈમાં દીકરીની નજીક રહેવાનો છે.

હું દીકરી પલક સાથે વધુને વધુ સમય પસાર કરવા માગુ છું. રાજા ચૌધરીએ જણાવ્યું કે ‘તેણે હાલમાં જ દીકરી પલક સાથે પોતાના બર્થડેનું સેલિબ્રેશન કર્યું ત્યારે તે સ્પેશિયલ કેક લઈને આવી હતી. ત્યારે રાજા ચૌધરીએ દીકરી પલક માટે પોતાના હાથે જમવાનું બનાવ્યું હતું. અને દીકરી પલક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.