Western Times News

Gujarati News

અમદાવાદમાં એક મહિનામાં 6800 ખાડા પડયા : 6300 પુરાયા

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેર ફરી એક વખત “ખાડામય” બની ગયુ છે. દર વર્ષની માફક ચાલુ વરસે પણ રોડ પરના મેકઅપ ઉતરી ગયા છે તથા નાગરીકો “ડીસ્કો” રોડ પર વાહન ચલાવવા મજબુર બન્યા છે. અમદાવાદમાં માત્ર એક મહિના માં જ 7 હજાર જેટલા ખાડા પડયા છે. શહેરના ખાડા મામલે ઉહાપોહ થતા વહીવટીતંત્ર અને સત્તાધીશો સફાળા જાગ્યા છે તથા ખાડા પુરવા માટે દોડધામ કરી રહયા છે. નિષ્ણાંતો આ પ્રયાસને “થીગડા મારીને આભ ઢાંકવા” જેવો ગણાવી રહયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક વખત ર૦૧૭નું પુનરાવર્તન થઈ રહયું ે. ર૦૧૭માં ૧૩૦ જેટલા રોડ નામશેષ થયા હતા ચાલુ સીઝનમાં પણ પ૦ કિલોમીટરના રોડ તૂટી ગયા છે. મ્યુનિ. ઈજનેર વિભાગના મંતવ્ય મુજબ જુલાઈ મહિનામાં 6848 જેટલા ખાડા પડયા છે. જે પૈકી 6300 કરતા વધુ ખાડાઓના “ઓપરેશન” થઈ ગયા છે તેમજ માત્ર 500 ખાડા પુરવાના બાકી છે. તેથી એમ માની શકાય કે ચાલુ સપ્તાહના અંતે શહેર “ખાડા મુક્ત” થઈ જશે. પૂર્વ મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં પણ “ખાડા મુક્તિ” અમદાવાદ માટે અભય વચન આપવામાં આવ્યુ હતું. મ્યુનિ. કમિશ્નરની બદલી થતા ડ્રાફટ બજેટની પ્રાયોરીટીમાં પણ ફેરફાર થયા હતા અન્યથા એ જ હોદ્દેદારો અને અધિકારીઓ છે

પરંતુ વિજય નેહરાની બદલી થતા જ “ખાડા મુક્ત”ના બદલે “ખાડા યુક્ત” અમદાવાદ બની ગયુ છે. શહેરમાં જે સ્થળોએ ફલાય ઓવર તથા મેટ્રોના કામ ચાલી રહયા છે તે સ્થળની પરિસ્થિતિ અત્યંત બદ્‌તર છે. તેમજ આવા સ્થળે 45 જેટલા ખાડા પડયા છે. મેટ્રો ના કારણે અનેક સ્થળોએ રોડ તૂટી ગયા છે.શહેરના અનેક વિસ્તારોમાં તો એક ફુટ જેટલો સીધો રોડ મળવો મુશ્કેલ છે તથા “ખાડા”ની વચ્ચે “ટાપુ”ની માફક ચાર-પાંચ ઈંચનો રસ્તો જાેવા મળે છે.શહેરના પશ્ચિમ ઝોનમાં 750 ખાડા હતા જે પૈકી 564 ખાડા ભરવામાં આવ્યા છે. ઉ.પ.ઝોનમાં 1123 પૈકી 1058, દ.પ.ઝોનમાં 820 ની સામે 759, પુર્વ માં 1123 પૈકી 1074, દક્ષિણ ઝોનમાં 855 પૈકી 799, મધ્યઝોનમાં 1309 સામે 1262, ઉતરઝોનમાં 1095 પૈકી 997 ખાડા પૂરવામાં આવ્યા છે.

શહેરીજનો “ડીસ્કો રોડ” પર વાહન ચલાવી રહયા છે. તેવા સંજાેગોમાં પણ મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભવો સ્વ- બચાવના નિવેદન કરી રહયા છે. મ્યુનિસિપલ ઈજનેર અધિકારીઓના મંતવ્ય મુજબ ડીફેકટ લાયેબીલીટી પીરીયડના કોઈ જ રોડ તૂટ્યા નથી. તેમજ મેટ્રો અને ફલાયઓવરના કારણે ખાડા પડી ગયા છે. મેટ્રોરેલના કારણે સાબરમતીથી જનપથ હોટેલ, એપીએમસીથી વેજલપુર, વસ્ત્રાલ રીંગ રોડ તેમજ હેલ્મેટ સર્કલથી થલતેજ સુધીના રોડ તૂટ્યા છે. આ તમામ રોડ રીપેર કરવા મેટ્રો કંપનીને તાકીદ કરવામાં આવી છે.  આ તમામ સ્થળે ઔડાની દેખરેખ હેઠળ કામ થઈ રહયા છે તેથી હયાત સર્વિસ રોડ રીપેર કરવા ઔડાના જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. ઈજનેર વિભાગ ઘ્વારા 30 જુલાઈ સુધી 6848 પૈકી 6395  ખાડા પુરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ મ્યુનિ. અધિકારીઓ  સ્વ-બચાવના પ્રયત્ન કરે તે અત્યંત શરમજનક બાબત છે.  ર૦૧૭માં તૂટેલા રોડની મરામત ર૦૧૯ સુધી થઈ નહતી ! ત્રણ વર્ષ પહેલા તૈયાર થયેલા રોડ તો ર૦૧૭માં તૂટી ગયા હતા. જે મામલે હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી થઈ હતી તેમજ ઈજનેર અધિકારીઓ સામે કાર્યવાહી પણ ચાલી રહી છે તેથી સ્ટેન્ડીંગ ચેરમેને ચાલુ સીઝનમાં તૂટેલા રોડના સરનામા તૈયાર થયેલ વર્ષ, કોન્ટ્રાકટરના નામ અને ખર્ચની વિગતો સાર્વજનિક કરવી જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.