Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં ભૂકંપના આંચકા

નવીદિલ્હી, આજે ઉત્તર પ્રદેશ અને કશ્મીર બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ ખાસ જાનહાનિ ઉત્તરપ્રદેશના મેરઠમાં ભૂકંપના ઝટકા અનુભવાયાં, ૨.૭ રહી તીવ્રતા જમ્મુ કશ્મીરના કટરામાં આજે વહેલી સવારે ૩.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૭ માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે ૯.૦૨ વાગ્યે આવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જાે કે આ ભૂકંપના કારણે કોઇ જાનહાનીના કે નુકસાનીના અહેવાલો નથી.

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.