Western Times News

Gujarati News

હળવદમા જન્માષ્ટમી પર્વની શોભાયાત્રા સાદાઈ પુર્વક નીકળી

*(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ ખાતે જન્માષ્ટમી પર્વ નિમીતે ભગવાન શ્રીકૃષ્ણની પરંપરાગત શોભાયાત્રાનુ વિશ્ર્વ હિન્દુ પરીષદ-બજરંગ દળ પ્રેરીત શ્રી જન્માષ્ટમી શોભાયાત્રા સમીતી દ્રારા નગર સુશોભન કરી હજારો ભાવિકોની મેદની સાથે લગભગ છેલ્લા ૩૪ વર્ષથી હર્ષોલ્લાસ સાથે નીકળતી હોય છે.

પરંતુ,ગત વર્ષે કોરોના મહામારીને કારણે મોફૂક રાખી,પ્રસ્થાનની જગ્યા એવા રાધા કૃષ્ણ મંદિરે ફકત પૂજન આરતીનો કાર્યક્રમ જ યોજવામા આવેલ હતો.

જયારે,આ વર્ષે રાધા કૃષ્ણ મંદીરથી લક્ષ્મીનારાયણ ચોક સુધી ૫૦થી ૬૦ અગ્રણીઓ-ભાવિકોની ઉપસ્થીતીમા પ્રતિકાત્મક શોભાયાત્રા બાદ આરતી ઉતારી શોભાયાત્રાની પૂર્ણાહુતી કરવામા આવી હતી.ત્યારે,ભાવિકો દ્રારા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા તેમજ નાચી-કુદી હર્ષોલ્લાસ વ્યકત કરતા નગરજનો તસ્વીરમા નજરે પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.