Western Times News

Gujarati News

ગોટાળાની ફરિયાદ બાદ CBIના ૨૦ ઠેકાણે દરોડા

નવી દિલ્હી, દેશભરમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં ગોટાળાની ફરિયાદ બાદ સીબીઆઈએ ગુરૂવારે દેશના ૨૦ ઠેકાણા પર રેડ પાડી છે. આ રેડ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇંસટિટ્યૂટ પર પાડવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી-એનસીઆર, પૂણે, જમશેદપુર સહિત ઘણા શહેરોમાં સીબીઆઇની ટીમ પહોંચી અને ઇંસ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર તલાશી લીધી હતી.

સૂત્રોના અનુસાર CBI એ ૧ સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર, ૩ કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ એફઆઇઆર કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ સુનિયોજિત રીતે દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે.

સૂત્રોના અનુસાર CBI એ ૧ સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર ૩ કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે. આ સંબંધમાં કંપની વિરૂદ્ધ સીબીઆઇમાં કંપ્લેંટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે હાલમાં JEE (Mains) Exams 2021 ના ફેસ-૪ ને પેપર લેસ ચાલી રહ્યા છે. આ ફેસની પરીક્ષા ૨૬, ૨૭, અને ૩૧ ઓગસ્ટના રોજ થઇ હતી. ત્યારબાદ ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ પણ તેની બાકી પરીક્ષા યોજાઇ. આ પરીક્ષાની ઓફિશિયલ આન્સર કી ૪ સપ્ટેમ્બરના રોજ જાહેર થઇ શકે છે. આ પરીક્ષાના પ્રથમ, દ્વીતિય અને ત્રીજા ફેસની પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને જુલાઇમાં યોજાઇ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.