Western Times News

Gujarati News

અમદાવાદ : માંગણી નહી સ્વીકારાય તો એસટીના પૈડા થંભી જશે

અમદાવાદ, એસટી નિગમના કર્મચારીઓની માંગણીને લઈ ત્રણેય યુનિયનો મેદાને ઉતર્યા છે. એસટી નિગમના ૪૦ હજાર કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર જવા ચીમકી ઉચારી છે.

સરકાર અને એસટી નિગમ દ્વારા કર્મચારીઓની પડતર માંગણી સ્વીકારશે નહીં તો ૭ ઓક્ટોબરની મધ્યરાત્રીથી માસ સીએલ પર જવા ૪૦ હજારમાંથી ૨૨ હજાર કર્મચારીઓએ રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમ કરીને કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

જાેકે પહેલા ૨૩ સપ્ટેમ્બરે માસ સીએલ પર જવાના હતા પરંતુ રાજકીય પરિસ્થિતિ અને ભારે વરસાદના કારણે હવે ૭ ઓક્ટોબરની મધરાત્રિથી માસ સીએલ પર જવાનું નક્કી કર્યું છે.

એસટી નિગમના ઇનટુક યુનિયનના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું છે કે એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા નક્કી કરાયું છે કે કર્મચારીઓને મળતા લાભ આપવામાં આવે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો નથી.

કર્મચારીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા છે. કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો છે તેમજ દરેક જિલ્લા કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું છે. તેમ છતાં એસટી નિગમના અધિકારીઓ કે સરકાર તરફથી વાતચીત કરવા બોલાવવામાં આવ્યા નથી. અમે ગુજરાતની જનતાને બાનમાં લેવા માંગતા નથી પણ ના છૂટકે અમારે માસ સીએલ પર જવું પડશે. એસટી બસમાં રોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

કોઈપણ પરિસ્થિતિમાં એસટી નિગમના ડ્રાઇવર અને કંડકટર સજ્જ હોય છે. તો પછી મળતા લાભમાં કેમ પાછળ રાખવામાં આવે છે. તેવો સવાલ કર્મચારીઓ કરી રહ્યા છે. એસટી નિગમના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પોતાને મળતા લાભ મેળવવા માટે પણ આંદોલન કરવું પડે છે.

છેલ્લા ૧૦ વર્ષમાં ૨ વખત માસ સીએલ પર ઉતર્યા અને ત્યાર બાદ કર્મચારીઓની માંગણી સ્વીકાર આવી હતી. ત્યારે ફરી એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ પર જવા મજબૂર બન્યા છે. એસટી નિગમના કર્મચારીઓની માંગ છે કે મોંઘવારી ભથ્થું, એરિયર્સ, ઓવર ટાઈમ, કોરોના વોરિયર્સ જાહેર કરી મળતા લાભ તેમજ જે સેટલમેન્ટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે જાેવાનું એ છે કે એસટી નિગમ કર્મચારીઓ માંગણી પૂરી કરશે કે પછી કર્મચારીઓ માસ સીએલ પર જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.