Western Times News

Gujarati News

ગાંધી જયંતિ નિમિત્તે અર્ચના વિદ્યા નિકેતનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વૈજ્ઞાનિક યુગમાં બાળકો આઝાદી અને દેશ માટે બલિદાન આપનાર આઝાદીના લડવૈયાને વિસરી રહ્યા છે

તો તેનું મહત્વ સમજાવવા તેમજ દેશ પ્રત્યેનું કર્તવ્ય તેમ જ ગાંધીના વિચારો જાણવા માટે  શીઘ્ર વકૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ પણ આ સ્પર્ધામાં સહભાગી બન્યા હતા  તેમજ બાળકો સાથે ગાંધીના વિચારોની આપ-લે કરી હતી.

શાળાના પ્રમુખ ધીરૂભાઇ પરડવા , મેનેજિંગ ટ્રસ્ટી હસુબેન પરડવા , આચાર્યશ્રી રજીતા તુમ્મા, રાજકન્યા પાટીલ તથા શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોએ દરેક વિદ્યાર્થી, વાલી તેમજ દેશવાસીઓને ગાંધી જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.