Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૧ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૮ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૯૪ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં આજે કુલ ૩,૩૩,૩૦૯ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૮૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૭૭ સ્ટેબલ છે. ૮,૧૫,૭૯૪ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે.

૧૦૦૮૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં એક વ્યક્તિનું મોત થયું છે. વલસાડમાં કુલ ૫ કેસ આવ્યા છે, અમદાવાદ કોર્પોરેશનમાં ૬ કેસ આવ્યા છે, સુરત કોર્પોરેશનમાં ૪ કેસ આવ્યા છે, સુરત અને વડોદ્રા કોર્પોરેશનમાં ૨-૨ કેસ આવ્યા છે, ખેડા અને મહેસાણામાં ૧-૧ કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ ૨૧ કેસ આવ્યા છે.

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ ને પ્રથમ જ્યારે ૨૯૪૭ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૮૦૦૪ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૬૧૬૧૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૮-૪૫ વર્ષ સુધીના ૯૦૬૪૪ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૧,૫૦,૦૮૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૩,૩૩,૩૦૯ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૬,૨૮,૫૫,૯૬૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.