Western Times News

Gujarati News

લખીમપુર ખીરી ઘટના ખૂબજ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છેઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

લખનૌ, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી હિંસા પર એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેના જળ સુધી પહોંચી રહી છે.

લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. તે ગમે તે હોય, કાયદો બધા માટે સમાન છે, કાયદો દરેક સાથે સમાન વર્તન કરશે. પરંતુ હાઇકોર્ટનો ચુકાદો પણ છે કે ધરપકડ પહેલા પુરતા પુરાવા હોવા જાેઇએ. અમે માત્ર આરોપો પર કોઈની ધરપકડ કરીશું નહીં. અમે ભાજપના ધારાસભ્ય કે વિપક્ષના નેતા હોવાના પુરાવા મળ્યા બાદ દરેકની ધરપકડ કરી છે.

કોંગ્રેસ સહિત વિપક્ષના તમામ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને લખીમપુર જવાથી રોકવામાં આવ્યા હતા કારણ કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા હતા. યોગીએ કહ્યું કે અમે આ અંગે તાત્કાલિત એફઆઇઆર નોંધાવી છે.

આપણા વિપક્ષના લોકો જે સદ્દભાવના દૂત નથી એક વાર તપાસ પૂર્ણ થવા દો પછી સાબિત થઈ જશે દૂધ નુ દૂધ અને પાણી નું પાણી છત્તીસગઢમાં મુખ્યમંત્રી પોતાના રાજ્યને સંભાળી શક્તાં નથી. છત્તીસગઢમાં કેટલાક ખેડૂતો પોલીસની ગોળીઓથી માર્ય ગયાં હતાં.

તેમને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. પણ જાે તમારે ચાકરી જ કરવી હોય તો લખીમપુર જાવ, એવી જ રીતે પંજાબના મુખ્યમંત્રી પોતાના ડીજીપી, મુખ્ય સચિવ નક્કી કરવા સક્ષમ નથી. આંતરિક તકરારથી ઘેરાયેલા છે, તેથી તેઓ પોતાની ખામીઓ છુપાવવા માટે આવી રાજનીતિ કરી રહ્યા છે.

સીએમ યોગીએ કહ્યું કે હું રાહુલ અને પ્રિયંકાને પૂછવા માંગુ છું. દેશ માર્ચ ૨૦૨૦ થી કોરોનાથી પીડિત છે. ૨૪ થી ૨૫ કરોડની વસ્તી ઉત્તર પ્રદેશમાં રહે છે. હું કોંગ્રેસ, સપા, બસપાના નેતાઓને પૂછવા માંગુ છું કે જેઓ આજે રાજકીય પ્રવાસ કરી રહ્યા છે, તેમાંથી કેટલા નેતાઓ બહાર આવ્યા. કોરોનાના સમયગાળામાં આમાંથી કશું જાેવા મળ્યું નથી.

જ્યારે દરેક યુપીમાં સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની સાથે હતી. માર્ચ ૨૦૨૦ થી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આ સ્થિતિ હતી. અચાનક તેને લાગ્યું કે લખીમપુર એક બહાનું છે. પણ અમે એવું નહીં થવા દઈએ.

સીએમ યોગીએ કહ્યું કે છત્તીસગઢમાં કવર્ધા કેમ ન ગયા. જે ખેડૂતો ગોળીબારથી મોતના ઘાટ ઉતારી દીધા હતાં તેમના પરિવારોને પણ મળવા જઈ શકે છે મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન કોંગ્રેસે અમને ૧૦૦૦ બસોની યાદી આપી હતી. જ્યારે અમે તપાસ કરી ત્યારે સ્કૂટરના નંબર અમને બસના નામે આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ આવા ભદ્દો મજાક કરી રહી હતી. કોંગ્રેસના નેતૃત્વનું આ ખૂબ જ શરમજનક કૃત્ય હતું.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર અંગે સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે પરંતુ કોઈના દબાણ હેઠળ કોઈ કામ કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા જીૈં્‌ અને ન્યાયિક આયોગની રચના કરવામાં આવી છે. બાબતના જળ સુધી પહોંચી જશે. તમામ વોન્ટેડની ધરપકડ શરૂ થઈ છે. ગઈકાલે ઘણી ધરપકડ થઈ છે, આજે પણ કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર મામલે ન્યાયી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ઉશ્કેરણીજનક ભાષણ અંગે યોગીએ કહ્યું કે રાજકીય ભાષણ અને ધમકીમાં ફરક છે. રાજકીય ભાષણો માત્ર ભાજપ જ નહીં, પણ તમામ નેતાઓ આપે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે કોઈની હત્યા કરવી જાેઈએ. પ્રયત્નો કરવા જાેઈએ કે આવા ભાષણો ન થવા જાેઈએ,

દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે લખીમપુર ખીરી કેસની સુનાવણી કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઉત્તરપ્રદેશ સરકારે લખીમપુર ખીરી કેસની તપાસમાં લીધેલા પગલાંથી સંતુષ્ટ નથી.

સુપ્રીમ કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જાે આરોપી સામાન્ય માણસ હોત તો તેને આવી મુક્તિ મળી હોત એસઆઇટીમાં માત્ર સ્થાનિક અધિકારીઓને રાખવામાં આવ્યા છે. આ કેસ એવો નથી કે તેને સીબીઆઈને સોંપવો યોગ્ય ન ગણાય. આપણે બીજી રીતે જાેવું પડશે. ડીજીપી પુરાવા સુરક્ષિત રાખો. હવે આ કેસની વધુ સુનાવણી આગામી ૨૦ ઓક્ટોબરે હાથ ધરાશે.

કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને પૂછ્યું કે જ્યારે મૃત્યુ કે ગોળીબારની ઇજા જેવા ગંભીર આરોપો આ કેસમાં સામેલ હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં આઠ લોકોની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી છે અને કાયદાએ તમામ આરોપીઓ સામે પોતાનો માર્ગ અપનાવવો જાેઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, મામલાની ગંભીરતાને સમજીને અમને આશા છે કે યુપી સરકાર આ મામલે જરૂરી પગલાં લેશે.વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.