Western Times News

Gujarati News

ખાતરના ભાવ વધતા સબસિડી વધારાઇ છે: કેન્દ્રીય મંત્રી માંડવિયા

નવીદિલ્હી, ખાતરના ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી, ખેડૂતોને મોટી રાહત આપતા કહ્યું નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો હતો જે પાછો ખેચવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે .આ વચ્ચે ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ખેડૂતો પર ખાતર વધારોનો કોઈ પણ બોજ નાખવામાં આવશે નહીં. સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરી પહેલા પ્રમાણે જ હાલ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે કટિબધ્ધ છીએ. સાથે જ તેમણે કયા ખાતરની સબસીડીમાં સરકારે કેટલો વધારો કર્યો તેની પણ માહિતી આપી હતી.

સરકારની જાહેરાત બાદ ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતરનો ખેડૂતો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. પણ સરકારે સબસિડીની વધારી ખાતર કંપનીઑને ભાવ વધારો પાછો ખેચવા સૂચના આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.