Western Times News

Gujarati News

પોલીસ શહીદ સ્મૃતિ વંદન દિવસ પર મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, દર વર્ષ ૨૧ ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આજે પોલીસ એકેડમી ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, આજે દેશભરમાં પોલીસ અને તેમના પરિવારોનો આભાર માનવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દેશ માટે શહીદ થયેલા પોલીસ જવાનોને યાદ કરવામાં આવે છે અને તેમના કર્તવ્ય તેમજ ફરજ પાલન કરતા સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીને યાદ કરવામાં આવે છે. પોલીસ એકેડમી ખાતે શહીદ સ્મૃતિ વંદન દિવસની ઉજવણી.

આજે અમદાવાદ પોલીસ એકેડમી ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ડીજીપી આશિષ ભાટિયા તેમજ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા.અને પોલીસ જવાનોને અને ફરજ દરમિયાન શહીદ થયેલા અધિકારીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મહત્વનું છે દેશની આઝાદી મળ્યાથી લઈને આજ દિન સુધી હજારો પોલીસ જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે, કાયદો તથા વ્યવસ્થા સંભાળવાથી લઇ ભયંકર ગુના શોધી કાઢવા સુધી, કુદરતી હોનારતોથી લઇ કોવીડ-૧૯ મહામારી સામે લડવા સુધી પોલીસ કર્મી પોતાનું યોગદાન આપે છે. તેમની મહેનત અને નાગરિકોને સહાય કરવાની તત્પરતાને લઈને આજે તેમને યાદ કરવામાં આવે છે અને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.