Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૬૦ નવા કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ મોટો વધારો ઘટાડો આવતો રહે છે. આજે રાજ્યમાં ૬૦ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૮ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૭૪૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ પણ વધીને ૯૮.૭૧ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૨,૪૦,૯૪૩ નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૮૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૭૬ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૮,૧૭,૭૪૫ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત ૧૦૧૦૧ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

આજે નવસારીનાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં ૧૨-૧૨ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૮, કચ્છ, ૭, સુરત કોર્પોરેશન ૫, જામનગર કોર્પોરેશન ૩, નવસારી ૩, વડોદરા-વલસાડમાં ૨-૨, ભરૂચ, ભાવનગર કોર્પોરેશનમાં, જુનાગઢ, મહેસાણા, પોરબંદર અને રાજકોટમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૬૦ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૯ ને પ્રથમ ૮૧૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૨૧૨ ને રસીનો પ્રથમ અને ૫૬૧૭૫ નાગરિકોને રસીના બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૪૯૩ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૫૫૨૧૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં ૨,૪૦,૯૪૩ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૬૭,૩૩,૧૨૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.