કોરોનાગ્રસ્ત સ્ટાફ પાસે કોરોના દર્દીઓની સારવાર કરાવાય છે
ઓટાવા, કેનેડામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર હવે કોરોનાના દર્દીઓની કોરોના ગ્રસ્ત સ્ટાફ પાસે જ સારવાર કરાવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે કેનેડાના ક્યુબેક રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોને ફરી ફરજ પર બોલાવવામાં આવ્યા છે.
આ રાજ્યમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.અહીંયા રોજ નવા દર્દીઓની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં આ એક જ રાજ્યમાં ૧૨૦૦૦ દર્દીઓ સામે આવ્યા છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ક્રિશ્ચિયન દુબેનુ કહેવુ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ એટલુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે કે, મોટી સંખ્યામાં કોરોના ગ્રસ્ત લોકોને કામ પર બોલાવવાની ફરજ પડી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે બીજાે કોઈ વિકલ્પ નથી.જાેકે કોરોના સંક્રમિતોને ફરજ સોંપતી વખતે કાળજી રાખવામાં આવી રહી છે.કોરોનાના કેટલા લક્ષણો વ્યક્તિમાં છે તેના આધારે જ તેને ફરજ પર બોલાવવાનો ર્નિણય લેવામાં આવી રહ્યો છે.
કોરોનાનો સામનો કરવા માટે કેનેડાએ ચાર જાન્યુઆરીથી ૧૮ વર્ષથી વધારે વયના તમામ લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાનુ નક્કી કર્યુ છે.બીજી તરફ ક્યુબેક રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે જીમ અને કેસિનો બંધ કરવાના આદેશ અપાયા છે.SSS