Western Times News

Gujarati News

યાત્રા ધામ અંબાજીમાં પ્રાગટ્ય મહોત્સવે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રખાયા

(પ્રતિનિધિ) અંબાજી, ઉત્તર ગુજરાત યાત્રા ધામ અંબાજીમાં પોષ સુદ પૂનમ તા.૧૭ જાન્યુઆરી સોમવારના પવિત્ર દિને જગત જનની જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષ પણ કોરોના મહામારીને લઈને તમામ ધાર્મિક કાર્યક્રમ મુલતવી રખાયા છે .

અંબાજી મંદિર ખાતે મંદિરના અધિકારીઓ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં આ ર્નિણય લેવાયો છે .અંબાજીમાં આ વર્ષ પણ માં અંબાના જન્મોત્સવની ઊજવણીને કોરોના મહામારી ના લીધે જેમાં ભવ્ય શોભાયાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મુલતવી રાખવામાં આવ્યા છે અને દર વર્ષ અનન્ય આસ્થા અને શ્રદ્ધા સાથે ગબ્બર ખાતેની માં અંબાની અખંડ જ્યોત લાવી મંદિરની જ્યોત સાથે મલવવામાં આવશે .

માતાજીના ચાચરચોકમાં વિશેષ આરતી યોજી માં અંબાનો જન્મોત્સવ મનાવવામાં આવશે તથા માં અંબાના શીખરે ધ્વજારોહણ કરી માં અંબાનો જન્મોત્સવ મનાવવામાં આવશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.