Western Times News

Gujarati News

પત્ની અને પુત્રીની હત્યા કરી વૃધ્ધે લાશ સાથે રાત વિતાવી

મુંબઈ, માયાનગરી મુંબઈમાં વધુ એક એવી ઘટના બની છે કે જેણે લોકોના રૂવાડા ઉભા કરી દીધા છે. જેમાં અંધેરીમાં એક મર્ડરની ઘટના બની છે. ચોંકાવનારી ઘટનામાં ૮૯ વર્ષના શખ્સે પોતાની પત્ની તથા માનસિક રીતે અસ્વસ્થ દીકરીની હત્યા કરી નાખી છે.

પોલીસે સોમવારે જણાવ્યું છે કે બન્ને મહિલાની બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે રાતના સમયે તેમની કથિત હત્યા કરી નાખી હતી. વૃદ્ધે પત્ની તથા દીકરીની હત્યા કર્યા પછી આખી રાત તેમની લાશ સાથે વિતાવી હતી. હવે આ શખ્સે હત્યા કર્યા પાછળનું જે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે તે જ મૂળ કારણ છે કે નહીં તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

હત્યા કરનાર વૃદ્ધ આર્મી નિવૃત્ત હોવાની વિગતો પણ સામે આવી રહી છે. મેઘવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પુરુષોત્તમ સિંહ ગંધોકે પોતાની ૮૧ વર્ષની અને કમલજીત સિંહ અને ૫૫ વર્ષની દીકરીની શેર-એ-પંજાબ કોલોની સ્થિતિ રવિવારે રાત્રે હત્યા કરી નાખી હતી.

પોલીસે જણાવ્યું કે વૃદ્ધે પત્ની અને દીકરીની હત્યા કર્યા બાદ ફ્લેટ અંદરથી બંધ કરી દીધો હતો અને આખી રાત બે લાશ સાથે વિતાવી હતી, આ પછી તેમણે સોવારે સવારે પોતાની મોટી દીકરીને ઘટના અંગે જાણ કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે, જ્યારે વૃદ્ધ પુરુષોત્તમની મોટી દીકરી તેમના ઘરે પહોંચી તો તેમણે દરવાજાે ખોલવાનો ઈનકાર કરી દીધો હતો અને દીકરીને પહેલા પોલીસને ફોન કરવા માટે જણાવ્યું હતું. જ્યારે તપાસ કરાઈ ત્યારે વૃદ્ધે કહેલી હકીકત સામે આવી હતી, જેમાં રૂમમાં ૮૯ વર્ષના પુરુષોત્તમની પત્ની અને દીકરીની લોહીથી લથપથ લાશ પડી હતી.

અધિકારીએ જણાવ્યું કે આરોપીએ કહ્યું કે બન્ને ઘણાં વર્ષોથી ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા અને તેઓ તેમના કષ્ટને સહન કરી શકતા નહોતા, માટે તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી વૃદ્ધની હત્યાના ગુનામાં ધરપકડ કરાયા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. આ સિવાય પોલીસ પાડોશી તથા મૃતક મહિલાની મોટી દીકરીને પણ ઘરની પરિસ્થિતિ અંગે પૂછપરછ કરશે અને તેના આધારે ઘટનાના અંત સુધી પહોંચી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.