Western Times News

Gujarati News

૧૨ માર્ચના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત યોજાશે

મહેસાણા, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા જિલ્લા અદાલત રાજમહેલ તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં ૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો,મોટર એક્સીડન્ટ ક્લેઇમ પીટીશન,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેટ એક્ટની કલમ ૧૩૮ના ચેક રીટર્નના કેસો,ભરણપોષણના કેસો,ફેમીલી કેસો,જમીન વળતરના કેસો,મજૂર કાયદાને લગતા કેસો,મહેસુલી તકરારના કેસો,વીજ તથા પાણી બીલ (ચોરી સિવાયના) કેસો,ભાડાના,બેન્ક વસુલાત,સુખાધિકાર હકક,મનાઇ હુકમ,દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મુકી શકાશે.

જાહેર જનતા તથા તમામ પક્ષકારો,સંબધન કર્તા ઇસમો પોતાના પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઇચ્છુક હોય તો તેઓએ સંબધિત કોર્ટનો અથવા જિલલા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિને ૦૮ માર્ચ ૨૦૨૨ સુધી સંપર્ક કરવાનો રહશે.

કાનૂની સેવા સત્તા મંડળ અઘિનિયમ નિયમ ૨૧ હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ રીફંડ કરી શકાશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.જી સોનીની અખબારી યાદીમાં જણાવાયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.