Western Times News

Gujarati News

યુક્રેનમાં રહેલા ભારતીયોને પરત લાવવા જોઈએઃ શક્તિસિંહ ગોહિલ

પાલનપુર, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠાનાં પ્રવાસે છે.જ્યાં રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, યુક્રેનમાં રહેલા ભારતીયોને પરત લાવવા જાેઈએ.ભારત સરકારે ભારતીયોને પરત લાવવા જાેઇએ.

આપને જણાવી દઈએ કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા બાદ યુક્રેન બુધવારે દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે,આ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને મોસ્કોએ યુક્રેનમાં તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી હતી અને રાજદ્વારી કર્મચારીઓને ખાલી કર્યા હતા.

યુક્રેનના ધારાસભ્યોએ રાષ્ટ્રવ્યાપી કટોકટીની સ્થિતિ લાદવાના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના આદેશને મંજૂરી આપી છે, જે ગુરુવારથી શરૂ થતા ૩૦ દિવસ માટે અમલમાં રહેશે. યુએન સુરક્ષા પરિષદ યુક્રેન પર કટોકટી સત્ર યોજશે. આ અઠવાડિયે આ બીજી વખત હશે જ્યારે યુએન સુરક્ષા પરિષદ યુક્રેન પર ચર્ચા કરવા માટે બેઠક કરશે.

અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જાે આદેશ આપવામાં આવે તો યુક્રેનની સરહદો પાસે તૈનાત રશિયન દળો હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ૮૦ ટકા દળ “સજ્જ” છે અને સરહદથી પાંચથી ૫૦ કિમીની ત્રિજ્યામાં તૈનાત છે. “અમે હજી સુધી પુષ્ટિ કરી શકતા નથી કે રશિયન દળો ડોનબાસ (યુક્રેનમાં બળવાખોરોના કબજામાં આવેલ વિસ્તાર) માં પ્રવેશ્યા છે કે નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે વિશ્વભરના દેશોને યુક્રેનના પૂર્વી અલગતાવાદી વિસ્તારોમાં યુક્રેનની સતત હિંસા અને “ગ્રોસ નરસંહાર” રોકવામાં મદદ કરવા વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ બુધવારે યુએન જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે યુક્રેનના પૂર્વીય વિસ્તારોમાં શાંતિનો ભંગ કરનારાઓ પ્રત્યે ઉદારતા દર્શાવવાનો કોઈ ઈરાદો હોવો જાેઈએ નહીં. તેમણે કહ્યું કે લુહાન્સ્ક અને ડોનેત્સ્કથી હજારો લોકોનું રશિયા આવવું એ દર્શાવે છે કે યુક્રેન તેમની સાથે અનાદરભર્યું વર્તન કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.