Western Times News

Gujarati News

સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીને ઉજવો પર્વઃ મોદી

(એજન્સી) નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આ મહિનાની શરૂઆતમાં ભારત, ઇટાલીથી પોતાના એક બહુમૂલ્ય વારસાને લાવવામાં સફળ થયું છે. આ વિરાસત અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષ જૂની પ્રતિમા છે.

બિહારમાં ગયા જીના દેવતા સ્થાન કુંડલપુર મંદિરમાંથી આ મૂર્તિ થોડા વર્ષો પહેલા ચોરાઈ હતી. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન અંજનેયાર હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ ૬૦૦-૭૦૦ વર્ષ જૂની હતી. અમને આ મહિનાની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થઈ છે.

પીએમ મોદીએ કહ્યુ, આપણા ઈતિહાસમાં, દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં પણ આદર, શક્તિ, કૌશલ્ય અને વિવિધતા હતી, અને આપણી દરેક મૂર્તિના ઈતિહાસમાં તે સમયનો ઈતિહાસ હતો. તેની અસર પણ જાેવા મળી રહી છે. ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી હતી.

ક્યારેક આ દેશમાં તો ક્યારેક એ દેશમાં આ મૂર્તિઓ વેચાતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ સંબંધ હતો, તેને આદર સાથે કરવાનું હતું. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. પીએમ મોદીએ કહ્યુ- થોડા દિવસ પહેલાં આપણે માતૃભાષા દિવસની ઉજવણી કરી, જે વિદ્વાન લોકો છે, તે માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો,

તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેને લઈને ઘણા એકેડમિક ઉનપુટ આપી શકે છે. જેમ આપણું જીવન આપણી માતા ઘડે છે, તેમ માતૃભાષા આપણા જીવનને ઘડે છે. તેમણે આગળ કહ્યું- આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદમાં જીવી રહ્યા છે,

જેના કારણે તેને પોતાની ભાષા, પોતાનો પહેરવેશ, પોતાના ખાવા-પીવાને લઈને સંકેચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય આવું નથી. આ એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું કે આયુષ સ્ટાર્ટ અપ ચેલેન્જ આ મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.