Western Times News

Gujarati News

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત લાવવા એનએસયુઆઇની માંગ

અમદાવાદ, યુક્રેનમાં હજુ પણ અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે તે માટે એનએસયુઆઇએ વિરોધ પ્રદર્શન સાથે માંગણી કરી છે. એનએસયુઆઇ દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે તમામ વિદ્યાર્થીઓને જલ્દીથી પરત લાવવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા રસ્તે ઉતરીને આંદોલન કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇના કાર્યકરોએ બેનર અને સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ તાત્કાલિક પરત લાવવા એનએસયુઆઇએ માંગણી કરી છે.

એનએસયુઆઇનો આક્ષેપ છે કે દેશના પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઇલેકશનમાં વ્યસ્ત છે અને વિદ્યાર્થીઓ ત્યાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેથી સરકાર વિદ્યાર્થીઓનો વિચાર કરે અને તેમને ભારત પરત લાવે.

એનએસયુઆઇના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં હજુ અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. ખાધા-પીધા વિના વિદ્યાર્થીઓ ફસાયા છે, ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડર પર ફસાયા છે જેમને પરત લાવવા કોઈ વ્યવસ્થા થઇ નથી.

ગઈકાલે એક વિદ્યાર્થી પણ મોતને ભેટ્યો છે તો સરકાર ચૂંટણીની જગ્યાએ દેશના નાગરિકો પર ધ્યાન આપે. વિદ્યાર્થીઓને પરત લાવવામાં નહીં આવે તો એનએસયુઆઇ પર રસ્તે ઉતરીને આંદોલન કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.