Western Times News

Gujarati News

પીટીઆઈના સભ્યોએ સિંધ હાઉસમાં હલ્લો મચાવ્યો, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા

ઇસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના બે ડઝનથી વધુ અસંતુષ્ટ સાંસદોથી નારાજ પક્ષના સભ્યોએ શુક્રવારે ઈસ્લામાબાદમાં સિંધ હાઉસ પર હુમલો કર્યો. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના આ સાંસદોને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દ્વારા સંચાલિત સિંધ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

ટેલિવિઝન ફૂટેજમાં પીટીઆઈના ડઝનેક કાર્યકરો સિંધ હાઉસમાં પ્રવેશતા અને અસંતુષ્ટ સાંસદોના જૂથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા દર્શાવવામાં આવ્યા હતા.પીટીઆઈના લગભગ બે ડઝન અસંતુષ્ટ સાંસદોએ સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ઈમરાન ખાન વિરુદ્ધ મતદાન કરવાની ધમકી આપી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ ૧૦૦ સાંસદોએ ૮ માર્ચના રોજ નેશનલ એસેમ્બલી સચિવાલય સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી, આરોપ લગાવ્યો કે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પીટીઆઇ સરકાર આર્થિક મુશ્કેલીમાં છે. અને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે જવાબદાર છે.

ઈમરાન સરકારમાં સામેલ સાથી પક્ષના વડા પરવેઝ ઈલાહીએ કહ્યું કે પાકિસ્તાનની રાજનીતિમાં જે પ્રકારની સ્થિતિ બની ગઈ છે તે જાેયા બાદ એ વાત નિશ્ચિત છે કે ઈમરાન ખાનની ખુરશી ૧૦૦ ટકા જવાની છે.

પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં ઈમરાન ખાનના ૪ સાથી પક્ષો પાસે કુલ ૨૦ બેઠકો છે. માનવામાં આવે છે કે આમાંથી ૧૫ સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે. જાે આમ થશે તો ઈમરાન ખાન પાસે ૧૭૯માંથી ૧૫ સાથી પક્ષો હશે અને પાકિસ્તાનમાં બહુમતી માટે ૧૭૨ના જાદુઈ આંકડાને સ્પર્શ કરવો જરૂરી છે. તે જ સમયે, વિપક્ષ પાસે ૧૬૨ બેઠકો છે. આવી સ્થિતિમાં જાે આ તમામ ૧૫ સાથી પક્ષો વિપક્ષની સાથે જાય છે તો ઈમરાન ખાનની ખુરશી ખરવાની ખાતરી છે.નેશનલ એસેમ્બલીનું સત્ર ૨૧ માર્ચે બોલાવવામાં આવી શકે છે અને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ૨૮ માર્ચે થવાની શક્યતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.