Western Times News

Gujarati News

ઝઘડીયા – વાલિયાને જાેડતા રોડની કામગીરી ફરીથી ખોરંભે પડી

(પ્રતિનિધિ) ભરૂચ, મોટા ઉપાડે ભૂમિપૂજન અને ઉદ્‌ઘાટન કરતાં નેતાઓ ઝઘડિયા – વાલિયા રોડ પરથી હજારો ની સંખ્યા માં પસાર થતા લોકો ની પારાવાર મુશ્કેલી ની રોડની કામગીરી બાબતે પરવા કરતા નથી. ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જાેડતા રોડ બદતર હાલતમાં છે ત્યારે ઝઘડીયા તાલુકાથી વાલિયા તાલુકા મથકને જાેડતો વાયા જીઆઈડીસી રોડ પણ વર્ષોથી બદતર હાલતમાં છે.

સરકાર તરફથી બબ્બે વખત રોડનો ઇજારો મળ્યા બાદ પણ જવાબદાર વહીવટીતંત્ર તથા ભરૂચ જિલ્લાના, ઝઘડિયા તાલુકાના અને વાલીયા તાલુકાના નેતાઓ કામ પૂર્ણ કરાવી શક્યા નથી. હાલમાં જ ઝઘડીયા થી વાલિયા રોડ નવો બનાવવા ની મંજુરી મળી હોય તેનું ભૂમિપૂજન ભરૂચના સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

રોડ નવો બનશે તેવી આશા થી બંને તાલુકાની જનતા તથા ઝઘડીયા જીઆઈડીસી માં જતાં કંપની કામદારો, માલ વાહક વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા.પરંતુ સાંસદના ભૂમિપૂજનના ગણતરીના દિવસોમાં જ ઈજારાદાર દ્વારા કામને અભરાઈએ ચઢાવી દેવાયું છે.

હાલમાં ઝઘડીયા થી વાલિયા રોડ ની એટલી બદતર પરિસ્થિતિ છે કે રોજીંદા હજારો કંપની કર્મચારીઓ, ગામડાના લોકો તેમજ વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ઝઘડિયા અને વાલિયાના રાજકીય નેતાઓ તથા પદાધિકારીઓની ખેંચતાણમાં અતિ મહત્વના ગણાતા એવા ઝઘડીયાથી વાલિયા વાયા જીઆઈડીસીનો માર્ગ ની કામગીરી ખોરંભે પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.