Western Times News

Gujarati News

લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાએ સરેન્ડર કર્યું

નવી દિલ્હી, લખીમપુર હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોર્ટમાં સરેન્ડર કર્યું છે.

આશિષ મિશ્રાને 128 દિવસ જેલમાં રહ્યા બાદ 15 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારથી તે જેલની બહાર હતો. 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને એક સપ્તાહની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. રવિવારે બપોરે આશિષ મિશ્રાએ મેજિસ્ટ્રેટ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

આશિષ મિશ્રા ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જેની પર લખીમપુર ખેરીમાં ખેડૂતોને કાર વડે કચડી નાખવાનો આરોપ છે. 4 એપ્રિલે આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

નોંધનીય છે કે, આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષની કાળજી લીધી નથી.

​​​​​​​ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના તિકુનિયામાં હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ વડે ખેડૂતોને કચડી નાખ્યા હતા.

આ કેસમાં ઉત્તર પ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. એસઆઈટીએ આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો હતો. આટલું જ નહીં, એસઆઇટી અનુસાર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.