Western Times News

Gujarati News

વટવામાં કરિયાણાના દુકાનના માલિકની ક્રુર હત્યા

શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસ સતર્કઃ યુવકની  પત્નિ તથા અન્ય પરિવારજનોની પુછપરછ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિજળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ હતું પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન જ અમદાવાદ શહેરમાં ગંભીર ઘટનાઓ ઘટી હતી જેમાં શહેરમાં ગઈકાલે રાત્રે હત્યાની બે ઘટનાઓથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. હાટકેશ્વરમાં સાસરિયાઓએ કરેલા હુમલામાં જમાઈના ભાઈનું મોત નીપજયું હતું.

હજી આ ઘટનાની તપાસ ચાલુ હતી ત્યાંજ શહેરના વટવા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં કરિયાણાની દુકાનના માલિકની ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળતા જ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં મૃતક યુવકના કાકાએ અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી યુવકની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના વટવા, નારોલ, નરોડા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં નાની નાની બાબતોમાં પણ હુમલાની ઘટનાઓ ઘટતી હોવાથી પોલીસ અધિકારીઓ સતર્ક રહેતા હોય છે આ દરમિયાનમાં આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં અન્ય રાજયોમાંથી આવીને મોટી સંખ્યામાં નાગરિકો વસવાટ કરી રહયા છે અને આ લોકો અમદાવાદ શહેરમાં છુટક મજુરી તથા ધંધો કરી પરિવારજનોનું ભરણપોષણ કરતા હોય છે.

શહેરના વટવા વિસ્તારમાં આશાપુરા રેસીડેન્સી પાસે કરિયાણાની દુકાન શરૂ કરી દિનેશકુમાર નામના યુવકે તેની પત્નિ પણ બોલાવી લીધી હતી. દિનેશ અને તેની પત્નિ બંને જણાં કરિયાણાની દુકાન ચલાવતા હતા અને રાત્રે દુકાનમાં જ રહેતા હતાં દિનેશકુમારના સગાઓ પણ આજ વિસ્તારમાં રહેતા હતાં

દિનેશનો પિતરાઈ ભાઈ બુધારામ ચૌધરી પણ તેની નજીકમાં જ રહેતો હતો. દિનેશકુમાર આશાપુરા રેસીડેન્સી પાસે મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો જયારે તેનાથી થોડેકજ દુર દિનેશકુમારનો પિતરાઈભાઈ બુધારામ ચૌધરી મહાલક્ષ્મી ડેરી ચલાવે છે.

ગઈકાલે રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ બુધારામ પોતાની ડેરીમાં હાજર હતો ત્યારે અચાનક જ દિનેશની પત્નિરડવા લાગી હતી આ દ્રશ્ય જાઈ બુધારામ દોડી ગયો હતો તેની સાથે તેનો મિત્ર પણ પહોંચી ગયો હતો.

બુધારામ અને તેના મિત્રએ સૌ પ્રથમ દુકાનની અંદર તપાસ કરતા અંદરનું દ્રશ્ય જાઈ બંને જણાં ચોંકી ઉઠયા હતાં. દુકાનની અંદર દિનેશ લોહીથી લથપથ હાલતમાં પડેલો જાવા મળ્યો હતો અને દુકાનમાં ચારેય બાજુ લોહીના ડાઘા જાવા મળતા હતાં આ દ્રશ્ય જાઈ બુધારામે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તથા વટવા પોલીસને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોચી હતી અને તબીબે તપાસ કરતા દિનેશનું સ્થળ પર જ મોત નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. બીજીબાજુ વટવા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર દ્રશ્ય જાતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં. સૌ પ્રથમ દિનેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ દરમિયાનમાં બુધારામે દિનેશનીપત્નિને પુછતા તેણે ચોંકાવનારી હકીકત જણાવી હતી.

રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને તેઓએ દિનેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હોવાનું જણાવ્યું હતું. પતિની હત્યાથી પત્નિ માનસિક રીતે ભાંગી પડી હતી. આ અંગે બુધારામ ચૌધરીએ વટવા પોલીસને ઉપરોકત સમગ્ર હકીકત જણાવી હતી.

પોલીસ અધિકારીઓ આ સમગ્ર ઘટના અંગે આસપાસના લોકોની પણ પુછપરછ કરી રહયા છે. જાકે બે શખ્સો કોણ હતા તે અંગે હજુ કશું જાણવા મળ્યું નથી. આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી રહી છે જેથી પોલીસ અધિકારીઓએ દિનેશની પત્નિતથા તેના પિતરાઈભાઈ તથા આસપાસના લોકોની સઘન પુછપરછ કરી રહી છે.

દુકાનમાં જ દિનેશની ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળવાની ઘટનાથી અધિકારીઓએ તાત્કાલિક આ સમગ્ર ઘટનામાં તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાઈ રહી છે. દિનેશના શરીર પર તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા જાવા મળતા હતાં. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ હત્યા થઈ  હોવાનું જાણવા મળી રહયું છે. વટવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.