Western Times News

Gujarati News

ચિરિપાલ ગ્રુપના 40થી વધુ સ્થળો પર ITના પર દરોડા

ગ્રુપના માલિક ભાગીદારો એવા વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન, જ્યોતિ પ્રકાશ,વિશાલ અને રોનક ચિરિપાલની ઓફીસો તથા રહેઠાણો પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ, અમદાવાદ અને સુરતમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર મંગળવારની રાતથી ઈન્કમટેક્ષના 200 થી વધુ અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડીને તપાસ ચાલી રહી છે. આ સાથે અમદાવાદની વિવિધ ઓફીસો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ કંપની ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે જાેડાયેલી છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ ૨૦૦ જેટલા અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં સામેલ છે.

શહેરના બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ ૩૫ થી ૪૦ જગ્યા પર આ દરોડા પાડીને ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. આ દરોડામાં કુલ ૨૦૦ જેટલા અધિકારીઓ સામેલ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. .SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.