Western Times News

Gujarati News

ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન

બે વર્ષ ના કોરોનાકાળ બાદ પરંપરાગત રીતે છડી મેઘરાજા ના ઉત્સવ ની ઉજવણી.        

છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી  મેઘરાજાં ના ઉત્સવની ઉજવણી આનંદ ઉલ્લાસ અને શ્રધ્ધાભર્યા માહોલ માં બે વર્ષ બાદ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજા ની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.

છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણ ની અસર ઉત્સવો ની ઉજવણી પર જોવા મળી હતી પણ આ વર્ષે કોરોના સંક્રમણ હળવું થતા  છડી મેઘરાજા ના ઉત્સવની પરંપરાગત પૂજાવિધી સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.મેધરાજાના દર્શન કરવા અને  મેળા ની મજા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા . આ સાથે છડીનોમનો ઉત્સવ પણ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

ભોઈ સમાજની છડી ઉપરાંત ખારવા સમાજ અને વાલ્મિકી સમાજની છડી એમ ત્રણ છડી  પરંપરાગત રૂટ પર નીકળી હતી. મોટી સંખ્યામાં ભકતજનો છડીના દર્શન માટે ઉમટ્યા હતા.તે સાથે પરંપરા મુજબ દશમ ના દિને  છડી ઘોઘારાવ મહારાજ મંદિરે  પરત  ફરી હતી.જ્યાં બે છડી ને ઝુલાવવા સાથે ભેટાવવામાં આવતા દૃશ્ય ને માણવા માનવ મેદની ઉમટી પડી હતી.તે સાથે છડીનોમના મહોત્સવની પુર્ણાહુતિ થતા દિવસા ના દિવસ થી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજા ની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

પરંપરા મુજબ મેઘરાજા ને મેળાના દર્શન કરાવી નિયત રૂટ પર થઈ ભોઈ વાડ થી મેઘરાજા ની ભવ્ય વિસર્જન શોભા યાત્રા નીકળી હતી.મેઘરાજા  ના  અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓ નો સાગર ઉમટયો હતો.તો મેઘરાજા ને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય તે માટે ભારે ધસારો જોવા મળતો હતો.બે વર્ષ બાદ ભરૂચ ના પોતીકા કહી શકાય તેવા  પર્વો અને ઉત્સવો ઉજવાતા ભકતોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.