Western Times News

Gujarati News

સોનાલીના નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છે નિક્કી તંબોલી

હાર્ટ અટેકના કારણે સોનાલી ફોગાટનું નિધન થયું હતું

બિગ બોસના ઘરમાં રહી ચૂકેલી અભિનેત્રી નિક્કી તંબોલીએ શોક વ્યક્ત કર્યો છે અને સોનાલીના ખૂબ વખાણ કર્યા છે 

મુંબઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા અને બિગ બોસની ૧૪મી સિઝનમાં ભાગ લઈ ચૂકેલા સોનાલી ફોગાટનું એકાએક નિધન થઈ જવાને કારણે ઈન્ડસ્ટ્રીના લોકો સ્તબ્ધ છે. સોનાલીના મિત્રો અને કો-સ્ટાર્સ માટે આ વાત અવિશ્વસનીય છે. ઉલ્લેખનીય છે કે ૨૩મી ઓગસ્ટના રોજ ગોવામાં હાર્ટ અટેક આવવાને કારણે સોનાલીનું અવસાન થયુ હતું. બિગ બોસના ઘરમાં સોનાલી સાથે રહી ચૂકેલા તમામ સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પવિત્રા પુનિયા, અર્શી ખાન, જાસ્મિન ભસીન, અલી ગોની અને રાહુવ વૈદ્યએ સોનાલીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બિગ બોસના ઘરમાં સોનાલી ફોગાટ સાથે રહી ચૂકેલી અભિનેત્રી નિક્કી તંબોલી પણ નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છે. તેના માટે આ સમાચાર ચોંકાવનારા છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં નિક્કીએ જણાવ્યું કે બિગ બોસના ઘરમાં તેના સોનાલી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હતા, પણ સોનાલીએ હંમેશા તેનો સાથ આપ્યો છે.

નિક્કી જણાવે છે કે, શૉ દરમિયાન સોનાલીજી અને મારા ઘણાં મતભેદો હતા, પરંતુ તે એક ગેમ હતી. શૉ સમાપ્ત થયા પછી અમારા બન્નેના મનમાં એકબીજા પ્રત્યે કોઈ દ્વેષભાવ નહોતો. શૉ પછી મારી તેમની સાથે બે વાર મુલાકાત થઈ હતી અને બન્ને વાર તેમણે મારી સાથે ઘણો સારો વ્યવહાર કર્યો હતો. તે ઘણાં સારા વ્યક્તિ હતા અને તેમણે મારા માટે હંમેશા સારું વિચાર્યું છે. મારા મુશ્કેલ સમયમાં પણ તેમણે સાથ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે નિક્કી તંબોલીએ પોતાનો ભાઈ ગુમાવ્યો હતો. તે વાત યાદ કરીને નિક્કી તંબોલીએ જીવનની અનિશ્ચિતતાઓ પર વાત કરી છે. નિક્કી જણાવે છે કે, જીવન અને મૃત્યુ બન્ને ચોંકાવનારા છે, પરંતુ જ્યારે કોઈનું આ પ્રકારે નિધન થાય છે ત્યારે પાછળ માત્ર શોક અને આઘાત રહી જાય છે. સોનાલીજીનું અવસાન પણ ચોંકાવનારું અને હૃદયદ્વાવક છે.

તેમના પરિવારને અને ખાસ કરીને તેમની દીકરીને હું દિલાસો આપવા માંગુ છું.નોંધનીય છે કે બિગ બોસની ૧૪મી સિઝનમાં નિક્કી તંબોલી અને સોનાલી ફોગાટ બન્ને એકસાથે જાેવા મળ્યા હતા.શૉ દરમિયાન તેમની ઘણી વાર લડાઈ પણ થઈ હતી, પરંતુ શૉ સમાપ્ત પછી તેમના સંબંધો સુધરી ગયા હતા. સોનાલી ફોગાટની એક ૧૬ વર્ષની દીકરી પણ છે, જેનું નામ યશોધરા ફોગાટ છે. વર્ષ ૨૦૧૬માં સોનાલી ફોગાટના પતિ સંજયનું એક ફાર્મ હાઉસમાં શંકાસ્પદ સ્થિતિમાં નિધન થયુ હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.