Western Times News

Gujarati News

કાનપુર -લખનૌથી વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરાશે

vande bharat train

નવીદિલ્હી, રેલવે બોર્ડે લખનૌ અને નવી દિલ્હી વચ્ચે ટૂંક સમયમાં બે વંદે ભારત ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેન હાલમાં વારાણસીથી નવી દિલ્હી સુધી ચાલે છે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ થઈને પણ જાય છે. આ ટ્રેન દોડવાને કારણે અન્ય ટ્રેનોમાં મુસાફરોનો ભાર ઘણો ઓછો થયો છે.

આ સફળતાને જાેતા વધુ બે ટ્રેન દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસનો પણ વિકલ્પ હશે. બંને ચેર કાર હોવાને કારણે તેઓ ૬ થી ૭ કલાકમાં મુસાફરી પૂરી કરે છે.

બંને ટ્રેનો લખનઉથી કાનપુર થઈ નવી દિલ્હી જશે. લખનૌ નવી દિલ્હી શતાબ્દીમાં મુસાફરોનો ભાર વધુ છે. આ ટ્રેનોમાં ટિકિટ સરળતાથી મળતી નથી. તેથી વંદે ભારત ટ્રેનો દોડાવવાથી મુસાફરોનો ભાર ઓછો થશે.

બે વંદે ભારત ટ્રેનો દોડાવવાથી મુસાફરોને મોટી રાહત થશે, કારણ કે લખનૌથી દિલ્હી અને દિલ્હીથી લખનૌ વચ્ચે મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધુ છે. શતાબ્દી ટ્રેન લખનૌથી દિલ્હી ૬ કલાકમાં પહોંચે છે,

પરંતુ વંદે ભારત એક્સપ્રેસ લખનૌથી દિલ્હીની મુસાફરી લગભગ ૫ કલાકમાં પૂરી કરે છે. હાલમાં દેશભરમાં ૨૩ જાેડી શતાબ્દી ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેનોને શતાબ્દીના સમયની આસપાસ ચલાવવાની ચર્ચા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.