Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન યોજાયું

(પ્રતિનિધિ) નેત્રામલી, સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી ખાતે યોજાયું હતું. જેમાં અધ્યક્ષ તરીકે ડો.પ્રિયવદન કોરાર, મુખ્ય મહેમાન તરીકે જે.પી.પટેલ, મિતાબેન ગઢવી જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયું.

જેમાં જિલ્લાના ૨૦૮ આચાર્યો હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં ૧૧ વર્ષથી સેવા આપી રહેલ મહેન્દ્રભાઈ પટેલ તથા ભાનુપ્રસાદ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અધિવેશન મહામંત્રી કિરણ પટેલ તથા હોદ્દેદારોની મહેનતથી તથા સંચાલન સુરેશ પટેલ અને ગજેન્દ્ર પટેલ કરી કાયૅક્રમ સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.