Western Times News

Gujarati News

સુલ્તાનપુર જંકશન પાસે બે માલગાડી સામ-સામે ટકરાતાં છ ડબા પાટા પરથી ઊતરી ગયા

નવી દિલ્હી,  ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ગુરુવારે સુલતાનપુર જંક્શનના દક્ષિણ કેબિન નજીક બે માલગાડીઓ સામ-સામે અથડાઈ ગઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે એક માલગાડીના તો ૬ ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે દુર્ઘટનામાં એક ટ્રેન પાઇલટ ઘવાયો હતો.

દુર્ઘટનાને પગલે લખનઉ-વારાણસી અને અયોધ્યા-પ્રયાગરાજ રેલવે ટ્રેક પર ટ્રેનોની અવર-જવર ઠપ થઇ ગઇ હતી. દુર્ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓએ દોડધામ શરૂ કરી હતી. ઉતાવળે જીઆરપી સહિત રેલવે અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી શરૂ કરાઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં એક પણ પેસેન્જર ટ્રેન નહોતી, નહીંતર મોટી હોનારત સર્જાઈ હોત. મોટી લાપરવાહીને પગલે તપાસના આદેશ આપી દેવાયા છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.