Western Times News

Gujarati News

Ahmedabad : ડાકોર જતા પદયાત્રીઓને સેવા કેન્દ્રો ખાતે 24 કલાક વીજ પુરવઠો આપવા રજૂઆત

અમદાવાદ, ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ના અધ્યક્ષ હરીન પાઠક પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર ની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી.

અમદાવાદથી ડાકોર જતા તમામ પદયાત્રીઓ માટે તમામ સેવા કેન્દ્ર ખાતે 24 કલાક વીજ પુરવઠો આપવા સફાઈ કામકાજ પોલીસ બંદોબસ્ત આરોગ્ય સેવા પાણી પુરવઠો સિંગલ વિન્ડો દ્વારા ભંડારાના આયોજકોને પાસ આપવાની સિસ્ટમ રોડ સફાઈ તમામ જરૂરિયાત વાડી સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી.  providing 24 hours power supply at Seva Kendras to the pilgrims going to Dakor Gujarat.

જે અંગે તમામ વિભાગને કામગીરી કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઠરાવ કરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે.

તેઓ ઠરાવ પણ કરવામાં આવેલ છે આ અંગે સમિતિના મહામંત્રી અતુલભાઈ પટેલ તથા હોદ્દેદારો પ્રવીણભાઈ પટેલ મયુરભાઈ દવે મફતભાઈ પટેલ વાડી ભાઈ વગેરે સાથે હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.