Western Times News

Gujarati News

Earthquake : અમરેલી બાદ કચ્છમાં ભૂકંપના આંચકાથી ફફડાટ

ગાંધીનગર, ગુજરાતમાં એક દિવસમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે ૧૦.૪૯ કલાક આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ માસમાં ગુજરાતમાં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૬૨ કિલોમીટર દૂર પાકિસ્હોતાન સરહદ પાસે નોંધાયું હતું. ગઈકાલે મોડી રાત્રે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૩.૩ની નોંધાઈ હતી. રાત્રે ૧.૪૨ વાગ્યે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૫ કિમી દુર નોંધાયું હતું.ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. આ આંચકા જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં ખોદકામ માટેના વિસ્ફોટો પણ ભૂકંપ લાવવા પાછળ જવાબદાર કારનો છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.