Western Times News

Gujarati News

આજે પણ માછીમારો નર્મદા મૈયાની પૂજા કરી માછલી પકડવાનું ચાલુ કરે છે

દૂધનો અભિષેક સાથે અબીલ ગુલાલ ઉડાવી એક કાંઠેથી બીજા કાંઠા સુધી દૂધનો અભિષેક કરી નર્મદા મૈયા ને નાળિયેર અને ચુંદડી અર્પણ કરી પ્રાર્થના કરી હતી કે ચોમાસાની સિઝન માછીમારો માટે લાભદાય નીવડે

ભાડભૂત નજીક દરિયો અને નર્મદા નદીના સંગમ સ્થળે હજારો માછીમારોએ દરિયાદેવ અને નર્મદા મૈયાની પૂજા કરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં વસતા હજારો માછીમારો રોજગારી માટે નર્મદા નદી ઉપર ર્નિભર હોય છે અને સૌથી વધુ રોજગારી આપતા ચોમાસાના ચાર મહિના માછીમારો રાત દિવસ માછીમારી કરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે

અને ભાડભૂત થી ઝનોર સુધીના નર્મદા નદીના પટમાં હજારો માછીમારો દેવપોઢી એકાદશીના પવિત્ર શુભ મુહુર્તમાં નર્મદા મૈયાને દુધાભિષેક સાથે અબીલ ગુલાલની છોડ કરી પૂજા અર્ચના કરી માં નર્મદા અને દરિયો ખેડવા માટે લાગી જતા હોય છે.

ચોમાસાના ૪ મહિના હજારો માછીમારો માટે રોજગારી પૂરું પાડતી કોઈ સિઝન હોય તો તે છે ચોમાસાની.ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર તથા દરિયાઈ પાણીની ભરતીના કારણે નર્મદા અને દરિયાના મિલનમાં હિલ્સા માછલીનું ઉત્પાદન થતું હોય છે અને ચાર મહિના માછીમારો રાત દિવસ માછીમારી કરવા લાગી જતા હોય છે.

ત્યારે દેવપોઢી અગિયારસબ સવારના સમયે શુભ મુહૂર્તે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે હજારો માછીમારોએ રોજગારી મેળવવા માટે સૌપ્રથમ નર્મદા મૈયા અને દરિયા સંગમ સ્થળે વિશેષ પૂજા અર્ચનાઓ કરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી.

જાેકે માછીમારોની રોજગારી પણ માત્ર બે વર્ષ રહેનાર છે કારણ કે ભાડભૂત બેરેજ યોજના નું કામ ચાલી રહ્યું છે અને મેરેજ યોજના બની ગયા બાદ દરિયાનું નર્મદા નદી સાથેનું સંગમ નહીં થવાના કારણે હિલસા માછલીનું ઉત્પાદન અટકી જશે જેના કારણે હજારો માછીમારોની રોજગારી છીનવાઈ જવાની છે.

અત્યારે બે વર્ષમાં માછીમારોને જેટલી રોજગારી મળે તેટલી સાચી છે કારણ કે આવનારો દિવસ માછીમારો માટે બેરોજગારી બની રહેશે તેમ માછીમારોએ જણાવી આજથી માછીમારી કરવાની શરૂઆત કરી હતી.

દેવપોઢી એકાદશીના દિવસે ભાળભૂત નર્મદા નદીના ઘાટથી જનોર સુધીના નર્મદા નદીના કાંટો ઉપર હજારો માછીમારોએ માછીમારીની નવી સીઝનની શરૂઆત કરતાં પહેલાં સારી રોજગારીની આશા સાથે નર્મદા મૈયા ની વિશેષ પૂજા અર્ચના કરી દૂધનો અભિષેક સાથે અબીલ ગુલાલ ઉડાવી એક કાંઠેથી બીજા કાંઠા સુધી દૂધનો અભિષેક કરી

નર્મદા મૈયા ને નાળિયેર અને ચુંદડી અર્પણ કરી પ્રાર્થના કરી હતી કે ચોમાસાની સિઝન માછીમારો માટે લાભદાય નીવડે રોજગારી મળી રહે તેવી આશા સાથે પ્રાર્થનાઓ અને પૂજા અર્ચનાઓ કરી માછી મારો એ નદી અને દરિયામાં માછીમારીની શરૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.