Western Times News

Gujarati News

નિતેશ તિવારીની રામાયણમાંથી આલિયા ભટ્ટની હકાલપટ્ટી

મુંબઈ, ઓમ રાઉતની ‘આદિપુરુષ’ પર હોબાળો થયા બાદ ‘દંગલ’ ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી રામાયણનું પોતાનું વર્ઝન લઇને આવી રહ્યાં છે. તે ફિલ્મને લઇને ખૂબ જ સચેત છે. દર્શકો આશા રાખી રહ્યાં છે કે તે ‘આદિપુરુષ’ જેવી ભૂલ નહીં કરે અને ‘રામાયણ’ને યોગ્ય રીતે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરશે. Alia Bhatt out of Nitesh Tiwari’s Ramayana

અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર રામ અને આલિયા ભટ્ટ સીતાનો રાલ કરવાના હતા. જાે કે હવે એવા રિપોર્ટ્‌સ મળી રહ્યાં છે કે, આલિયા ભટ્ટ આ પ્રોજેક્ટમાંથી બહાર થઇ ગઇ છે, જ્યારે રણબીર કપૂર તેની સાથે આગળ વધશે. રણબીર-આલિયાના ફેન્સને જાેરદાર ઝટકો લાગી શકે છે, પરંતુ આલિયા નિતેશ તિવારીની ‘રામાયણ’માં સીતાના રોલમાં નહીં જાેવા મળે.

એક રિપોર્ટ અનુસાર, સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સાઇ પલ્લવીને માતા સીતાના રોલમાં રણબીર કપૂરની ઓપોઝિટ કાસ્ટ કરવામાં આવી છે. નિતેશ તિવારીની રામાયણ વિશે એવી અટકળો છે કે આ ફિલ્મ ૨૦૨૪ના અંતમાં અથવા ૨૦૨૫ની શરૂઆતમાં સિનેમાઘરોમાં આવી શકે છે. જાે કે આ ફિલ્મને લઈને હજુ પણ ઘણી શંકાઓ છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મની કાસ્ટ અને રિલીઝ ડેટ અંગે મોટી જાહેરાત કરશે. નિતેશ તિવારીની ‘રામાયણ’ પોતાની સ્ટારકાસ્ટને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. એવી ચર્ચાઓ છે કે યશ ફિલ્મમાં રાવણનો રોલ કરશે. જાેકે, એવા પણ સમાચાર છે કે રણબીર કપૂર સિવાય રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળી શકે છે. જાે કે મેકર્સ તરફથી હજુ કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.

બીજી બાજુ, આલિયા ભટ્ટે હજુ સુધી ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ ‘જી લે ઝરા’નું શુટિંગ શરૂ નથી કર્યુ. ફિલ્મ ‘જી લે ઝરા’ને લઇને સારા રિપોર્ટ્‌સ નથી મળી રહ્યાં. એવી ચર્ચા છે કે ફિલ્મની બાકી બે લીડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરાએ આ પ્રોજેક્ટ પડતો મૂકી દીધો છે. ફેન્સ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રાહ જાેઇ રહ્યાં છે. આ ફિલ્મ ૨૮ જુલાઇ ૨૦૨૩ના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને ધર્મેન્દ્ર પણ લીડ રોલમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.