Western Times News

Gujarati News

ચિદમ્બરમ પ૨ પદના દુરુપયોગ અને મની લોન્ડરિંગના આરોપો થયા છે

File

નવી દિલ્હી,  પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને આખરે મોટી રાહત મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા છે. આ ચકચાકી કેસમાં અનેક ઘટનાક્રમ આવતા રહ્યા છે. આઇએનએક્સ ગ્રુપને વર્ષ ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મળવાના મામલે ગેરરિતી જાવા મળી હતી. આ સમગ્ર મામલો ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે મિડિયા ગ્રુપને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવા સાથે સંબંધિત છે.

તે ગાળામાં ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. મોટી વાત એ છે કે, આઇએનએક્સ મિડિયાને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેમના પુત્ર કાર્તિની દરમિયાનગીરીના આધારે આ મંજુરી અપાઈ હતી. જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સીધીરીતે ચિદમ્બરમના પુત્રની કંપનીઓ રહેલી છે.

યુપીએ-૧ સરકારના ગાળામાં નાણામંત્રી તરીકે એફઆઈપીબીએ બે એકમોને મંજુરી આપી હતી. આઈએનએક્સ મિડિયા મામલામાં સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે કેસ દાખલ કર્યો હતો. આમા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચિદમ્બરમની અવધિ દરમિયાન ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ મેળવનાર કંપનીને મંજુરી મળી હતી.

ઇડીએ ગયા વર્ષે આ સંદર્ભમાં કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં ચિદમ્બરમને હાલમાં કોર્ટની શરતોને પાળવી પડશે. કોંગ્રેસ નેતા પર આક્ષેપ છે કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને લાયસન્સ આપવાના બદલે પોતાના પુત્રની કંપનીને મદદ કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. તેમના પર હોદ્દાનો દુરુપયોગ કરવા અને મની લોન્ડરિંગનો આરોપ છે. ઇડી તરફથી દલીલો કરવામાં આવી હતી કે, ૧૨ બેંક એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે

જેમાં અપરાધ સાથે સંબંધિત રકમ જમા કરવામાં આવી છે. બીજા દેશોમાં સંપત્તિ ખરીદી લેવાની વિગત પણ સપાટી ઉપર આવી હતી. તુષાર મહેતાએ દલીલ આપી હતી કે, આર્થિક અપરાધ પણ ખુબ ગંભીર અપરાધ છે. આનાથી સમાજ અસરગ્રસ્ત થાય છે. દેશથી બહાર બેનામી સંપત્તિ રહેલી છે. અરજી કરતા પરિવાર સાથે જાડાયેલી વ્યÂક્ત હોઈ શકે છે. સંપત્તિ તેમની અને અન્ય સહઆરોપીઓની હોઈ શકે છે. કોર્ટમાં એવી દલીલ આપવામાં આવી હતી કે, જા ચિદમ્બરમને જામીન મળશે તો સાક્ષીઓ સામે ખતરો ઉભો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.