Western Times News

Gujarati News

24,470 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 508 રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ કરાશે

અમદાવાદ મંડળમાં આવતા વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશનોનું નવિનીકરણ થશે

શહેરની બંને બાજુના વિસ્તારોના યોગ્ય એકીકરણ સાથે ‘સિટી સેન્ટર’ તરીકે સ્ટેશનોના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

શહેરના સમગ્ર શહેરી વિકાસના સર્વગ્રાહી દૃષ્ટિકોણ દ્વારા સંચાલિત ઈન્ટીગ્રેટેડ અપ્રોચ, રેલવે સ્ટશન ની આસપાસ કેન્દ્રિત

ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકાર ના ન્યુ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

આ ક્રમમાં મધ્યના ત્રણ સ્ટેશનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.તેમાં ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન, મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ વિશ્વેસ્વરૈયા  ટર્મિનલ સ્ટેશનનો સમાવેશ થાય છે.આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે.

આ સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર સિવાય કોન્સર્સ, વેઇટિંગ રૂમ અને રિટેલ ક્ષેત્ર  આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે.આ સાથે મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભર ના 1309 રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધાઓ ની  સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે.

શહેર ની બંને તરફ ના ક્ષેત્રો ને યોગ્ય એકીકરણ ની સાથે આ સ્ટેશનો ને સિટી સેન્ટર ના રૂપે વિક્સિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતાને પ્રતિબિંબિત કરતા, પુનઃવિકાસિત સ્ટેશનો નવી અત્યાધુનિક યાત્રી

સુખ સુવિધાઓ ની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ  અનિચ્છનીય માળખાંને દૂર કરી, બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તારો, બહેતર પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતો કરીને રેલ્વે સ્ટેશનો સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ, 2023 ના 11:00 કલાકે રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 500 થી વધુ રેલવે  સ્ટેશનો ના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે, આ 508 રેલવે સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દરેક રાજ્ય માં 55 સ્ટેશનો,

બિહાર ના 49, મહારાષ્ટ્ર ના 44, પશ્ચિમ બંગાળ ના 37, મધ્ય પ્રદેશ ના 34, આસામ 32, ઓડિશા 25, પંજાબમાં 22 સ્ટેશન છે, ગુજરાત અને તેલંગાણા છે. દરેકમાં 21 સ્ટેશનો, ઝારખંડમાં 20 માં, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પ્રત્યેક રાજ્યમાં 18 સ્ટેશન છે, હરિયાણામાં 15 સ્ટેશન છે, કર્ણાટકમાં 13 સ્ટેશન અને બાકીના સ્ટેશનો અન્ય રાજ્યોમાં છે.

આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. 508 રેલવે સ્ટેશનોમાંથી 23 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળ છે.જેમાં અમદાવાદ મંડળ માં નવ સ્ટેશન, વડોદરા મંડળ માં છ સ્ટેશન, ભાવનગરના ત્રણ સ્ટેશન અને રાજકોટ અને રતલામ મંડળ માં બે-બે સ્ટેશન, જ્યારે મુંબઈ સેન્ટ્રલ મંડળ માં  એક સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોની યાદી નીચે મુજબ છે.

·         અમદાવાદ મંડળ: વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા

§  મુંબઈ સેન્ટ્રલ મંડળ : સજાણ

§  વડોદરા મંડળ: ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, ડેરોલ અને પ્રતાપનગર

§  ભાવનગર મંડળ: સાવરકુંડલા, બોટાદ જં. અને કેશોદ

§  રાજકોટ મંડળ: સુરેન્દ્રનગર અને ભક્તિનગર

§  રતલામ મંડળઃ દેવાસ અને ચંદેરિયા

સ્ટેશનના માનક તત્વો

§  સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા

§  શહેરની બંને બાજુના વિસ્તારોને એકીકૃત કરવા

§  સ્ટેશન બિલ્ડીંગનો પુનઃવિકાસ

§  સારી રીતે ડિઝાઇન કરેલી આધુનિક પેસેન્જર સુવિધાઓની જોગવાઈ0

§  સારી રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક સર્ક્યુલેશન અને ઇન્ટર-મોડલ એકીકરણ

§  મુસાફરો ને માર્ગદર્શન આપવા માટે સમાન અને સારી રીતે ડિઝાઈન કરેલ સાઈનેજ માસ્ટર પ્લાનમાં યોગ્ય પ્રોપર્ટી ડેવલપમેન્ટ ની જોગવાઈ

§  લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ

 

“”અમૃત ભારત સ્ટેશન” યોજનાના લાભ

§  સ્ટેશનો ના સર્વગ્રાહી વિકાસ અભિગમ ની કલ્પના

§  રેલવે સ્ટેશનો ને આસપાસના શહેરો સાથે સુમેળભર્યા રીતે સાંકળી લેવાના પ્રયાસો

§  સમગ્ર  મુસાફરોના અનુભવને વધારવો

§  મલ્ટિ-મોડલ એકીકરણની સુવિધા પ્રદાન કરવી

§  તેનો ઉદેશ્ય  મુસાફરો માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતામાં સુધારો કરવાનો છે

§  વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ સુવિધાઓ, દરેક માટે સર્વસમાવેશકતા અને સુલભતાની ખાતરી

§  સ્ટેશન બિલ્ડિંગમાં પર્યાવરણ અનુકૂળ વિશેષતાઓ  હશે

 

ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને કન્વર્ઝન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં, 16 સ્ટેશન મહારાષ્ટ્ર, 15 સ્ટેશન મધ્યપ્રદેશ અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્ય માં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.