સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવો અને ચેકડેમો માટે ૨.૫ કરોડની રકમ મંજુર કરાવતા ધારાસભ્ય મહેશ કસવાલા

પ્રતિકાત્મક
સાવરકુંડલા તાલુકાના વીવીધ ગામોમાં વધુમાં વધુ જળ સંગ્રહ થાય અને ખેડુતોને સિંચાઇનો લાભ મળે તેવા ઉમદા હેતુના પ્રયાસો ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા સફળ રજુઆત…
બે નવા તળાવો માટે ૪૦.૭૯ લાખ, ત્રણ સેફ સ્ટેજ પરના રીપેરીંગ માટે ૩૫.૦૯ લાખ તથા ૧૪ હયાત ચેકડેમોને રીપેરીંગ(રીનોવેશન) માટે ૧૫૪.૦૭ લાખ તેમજ હયાત તળાવોમાં જંગલ કટીંગ માટે ૧૬.૧૫ લાખ મળી કુલ ૨ કરોડ ૪૬ લાખના કામોની સૈઘ્ઘાંતીક મંજુરી આપવામાં આવેલ છે.
અત્યારથી જ આગવુ આયોજન કરી જળસંગ્રહ ક્ષેત્રે પરીણામ લક્ષી કામ કરવાનો ધારાસભ્યશ્રી મહેશ કસવાલાનો અભિગમ…
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ”નામનો નહી પણ કામનો માણસ” એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ ખેડુતોની જમીનમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો લાભ મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે જળ સંગ્રહ કરવો ખાસ જરૂરીયાત છે
તે હકીકત સમજી અત્યારથી જ આગવુ આયોજન કરી જળ સંગ્રહ ક્ષેત્રે પરીણામ લક્ષી કામ કરવાનો અભિગમ અપનાવી અગાઉ તાલુકામાં આવેલ દરેક તળાવોની જગ્યાએ જાતે અધિકારીઓને સાથે રાખી તપાસ કરી જરૂરી દરખાસ્તો તૈયાર કરાવી હતી અને પોતાના મત વિસ્તાર માટે વરસાદી પાણીને રોકવા માટેની ખુબજ ઉમદા શરૂઆત કરેલ છે તે બદલ સાવરકુંડલાની જનતા ધારાસભ્યશ્રી કસવાલાને અભિનંદનની લાગણી વ્યકત કરી રહયા છે.
સાવરકુંડલા તાલુકામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો વધુમાં વધુ લાભ મળે તે માટે સરકારશ્રીમાં રજુઆત કરતા નીચેની વિગતેના ચેકડેમોના કામોની સરકારશ્રી માંથી સૈઘ્ઘાંતીક મંજુરી મેળવેલ છે. નવા તળાવો (૧) કન્ટ્રકશન ઓફ ઘોબા વી.ટી.૧, (ર) કન્ટ્રકશન ઓફ પીયાવા પી.ટી(દલીનદી) નવા સેફસ્ટેજ પરના કામો
(૧) ખોડીયાણા પી.ટી, (ર) નાનીવડાળ પી.ટી(પવનચકકી પાસે), (૩) વણોટ પી.ટી (રેબચીયા નહેરૂ) હયાત રીપેરીંગ (રીનોવેશન) (૧) વણોટ પી.ટી(સોનાડી નહેરુ), (ર) ચરખડીયા પી.ટી કુંભારીયા નહેરુ, (૩) આદસંગ પી.ટી નેહાડીયા તળાવ, (૪) ઠવી પી.ટી, (૫) વિરડી પી.ટી, (૬) ઇમ્પ્રુવમેન્ટ ઓફ દાધીયા પી.ટી,
(૭) ઘનશ્યામનગર પી.ટી (આદસંગ રોડ), (૮) ઘોબા પી.ટી, (૯) પીઠવડી પી.ટી-૧ (નીયર ટુ ધીરૂભાઇ નાકરાણીની વાડી), (૧૦) મોટાઝીંઝુડા પી.ટી (બાબરીયા ધાર એન્ડ ઉમરીયા નહેરા), (૧૧) કૃષ્ણગઢ એમ.આઇ.સ્કીમ સબમજે સી.ડી.સી, (૧૨) ભેંકરા વી.ટી એફ.ડી.આર, (૧૩) જાબાળ વી.ટી (હરીજન વાસ પાસે એફ.ડી.આર),
(૧૪) જાબાળ વી.ટી (લીંબાળા) ઉપરાંત તાલુકામાં આવેલ તળાવોમાં જંગલ ઉગી નિકળેલ હોય તેવા તળાવોને જંગલ કટીંગ કરી સફાઇના કામોની પણ સૈઘ્ઘાંતીક મંજુરી મળતા તાલુકાની આમ જનતા આનંદની લાગણી અનુભવી રહી છે.