Western Times News

Gujarati News

કમલમ તળાવમાંથી મહિલાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર

share broker suicide

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં હત્યારાએ યુવતીની હત્યા કરી લાશને કોથળામાં પુરી તળાવમાં ફેકીં દીધી હાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ હાથધરી વધુ તપાસ હાથધરી હતી.જાેકે હત્યા પ્રકરણમાં પોલીસે બે ની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.પરંતુ પોલીસે સત્તાવાર કોઈ માહિતી આપી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલા કમલમ તળાવ માંથી થોડાં દિવસો પહેલાં પ્રેમ પ્રકરણમાં એક યુવતીની હત્યા કરી દેવાઈ હતી.બાદમાં મૃતદેહને પથ્થર વડે બાંધી અને કોથળામાં પુરીને તળાવમાં ફેંકી દીધો હતો.જે મૃતદેહની જાણ પોલીસ મે થતા ઘટમ સ્થળે અંક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એચ વાળા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ,એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ સહિતનો પોલીસ કાફલો

અને મામલતદાર ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે તળાવ પર પહોંચી સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક પોટલું મળી આવ્યું હતુ.જેમાં મોટો પથ્થર પણ હતો.પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા.આ પોટલા માંથી મહિલાની લાશ મળી આવી હતી

જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી.પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે.જાેકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.