Western Times News

Gujarati News

TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશનો ઉગ્ર વિરોધ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે ૪૦ ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે ટીઆરબી જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ શરૂ થઈ ચુક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં અંદાજે ૪૦ ટીઆરબી જવાનો કાર્યરત છે. શહેરની આર્ટસ કોલેજ ખાતે ટીઆરબી જવાનોએ એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો હતો.

સરકાર દ્વારા પરિપત્ર રદ કરી ટીઆરબી જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સમગ્ર રાજ્યના હજારો ટીઆરબી જવાનોને છુટા કરવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે હવે ટીઆરબી જવાનો દ્વારા તેનો વિરોધ કરી નોકરી ચાલુ રાખવા માગ કરી છે અને સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.