Western Times News

Gujarati News

આવાસ યોજનામાં બનાવેલ મકાન તંત્ર દ્વારા તોડી પડાયા

ધાનેરા, બનાસકાંઠા જિલ્લામાં આવાસ યોજના બનાવેલા મકાન તોડી નાંખ્યા છે. એક તરફ સરકારી તંત્રે જ આવાસ યોજના માટે મકાનના પ્લોટ ફાળવ્યા હતા ત્યાં હવે તંત્રએ જ બુલડોઝર ફેરવી દેવાને લઈ પરિવારો કડકડતી ઠંડીમાં બેઘર બન્યા છે.

પરિવારોએ નવા આવાસ માટે કાર્યવાહી કરવા અને તેની ફાળવણી કર્યા બાદ તોડવા માટે આજીજી કરી હતી. પરંતુ તંત્ર જાણે એક સાંભળવા તૈયાર નહોતું.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તંત્રએ એવા જ મકાનો પર બુલડોઝર ફેરવી દીધું કે, જે મકાન માટેના પ્લોટ સરકારી તંત્રે જ ફાળવ્યા હતા.

હવે આ જ તંત્ર દ્વારા તેને દબાણ ગણાવીને બુલડોઝર ફેરવી દીધું છે. ૮ જેટલા આવાસને તંત્રે બુલડોઝર ફેરવીને તોડી પાડવાની કાર્યવાહી કરતા વિસ્તારમાં હોબાળો મચ્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ધાનેરાના થાવર ગામે વર્ષ ૨૦૧૦-૧૧ માં આવાસ માટે પ્લોટ ફાળવણી કરી હતી. હવે આ પરિવારોના આ મકાન આટલા વર્ષ બાદ પાડી દેવામાં આવ્યા હતા. આમ તંત્ર પર જ સવાલ થવા લાગ્યા છે. બીજી તરફ તંત્રની બુલડોઝર કાર્યવાહીને લઈ ગરીબ પરીવારો બેઘર બન્યા છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.