Western Times News

Gujarati News

પ્રિયાસિંહને કચડનારા આઈએએસના પુત્ર સહિત ત્રણ જણાને જામીન

મુંબઈ, મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ અધિકારીના પુત્ર સહિત ૩ લોકોને સોમવારે જામીન આપી દીધા છે.

થાણેમાં ઘોડબંદર રોડ પર એક હોટલ નજીક ૧૧ ડિસેમ્બરે થયેલી ઘટના સંદર્ભે અધિકારીના પુત્ર અશ્વજીત ગાયકવાડ અને તેના મિત્રો રોમિલ પાટિલ અને સાગર શેડગેની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી પક્ષના વકીલે દલીલ કરી હતી કે આ કેસની તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની જરૂર નથી. ત્યારબાદ જજે જામીન આપી દીધા. આરોપ છે કે અશ્વજીતે મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડ પ્રિયા સાથે મારપીટ કરી ગાડી વડે કચડવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે તે બચી ગઈ હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.