Western Times News

Gujarati News

ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર આઈએનએસ વર્ષા

નવી દિલ્હી, ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસવર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જાેઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો છે.

વિશાખાપટ્ટનમ બદર પર નૌસેના અને શિપિંગ મંત્રાયલના જહાજાેનું અવર જવર રહે છે. વિઝાગમાં બધા જ જહાજાે પાર્ક કરવા માટે જગ્યા હવે બચી નથી. વર્ષ ૨૦૦૬માં અહી ૧૫ યુદ્ધ જહાજાે તૈનાત કરવામાં આવતા હતા. પરંતુ હવે તે વધીને ૪૬ થઈ ગયા છે. જાેકે, આઈએનએસવર્ષા નૌસેનાના બેઝમાં ૮થી ૧૨ સબમરીન પાર્ક કરી શકાશે.

આઈએનએસ વર્ષાને પ્રોજેક્ટ વર્ષ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે નેવલ અલ્ટરનેટિવ ઓપરેશન બેઝ (એનએઓબી) હશે. માહિતી અનુસાર આ પ્રોજેક્ટ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં આ બેઝ બનાવવાની મંજૂરી આપી હતી. ત્યારથી જ તેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેથી નૌસેનાની તાકાતમાં થશે વધારો.

રામબિલી નૌસેનાના આ બેઝ આંધ્ર પદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલું છે. તેનું લોકેશન એવું છે કે, ભારતીય નૌસેનાના પૂર્વ અને પશ્ચિમ બને કિનારાની સુરક્ષા સરળતાથી કરી શકે છે. ઓપન સોર્સ સેટેલાઈટ તસવીર દર્શાવે છે કે, પહેલા તબક્કામાં જ ડઝનબંધ ટનલ બનાવવામાં આવી છે. એટલે કે, આ બેઝ અંન્ડરગ્રાઉન્ડ હશે. જે જમીન પર દેખાશે નહીં.

નૌસેનાના આ અન્ડરગ્રાઉન્ડ બેઝની અંદર ૮થી ૧૨ પરમાણુ સંચાલિત બેલેસ્ટિક સબમરીન અને અસોલ્ટ સબમરીન રાખવામાં આવશે. આ બેઝ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ની સુવિધા નજીક છે. જેના કારણે આ સુવિધા પણ વધુ સુરક્ષિત રહેશે. એનએઓબીપાસે પાણીની અંદર ટનલ હશે, જેની અંદર સબમરીન રાખવામાં આવશે.

આ સાથે અહીં અનેક પ્રકારના નૌકાદળના યુદ્ધ જહાજાે પણ તૈનાત કરી શકાશે. જે રીતે ભારત પોતાની નૌસેનાની તાકાત વધારી રહ્યું છે, ચીન અને પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. બેઝનો ઉપરનો ભાગ ડુંગરાળ છે, જેની ઉપર જંગલ છે. તે લગભગ ૬૭૦ હેક્ટરમાં ફેલાયેલું છે. અહીથી બીએઆરસીનું અંતર માત્ર ૨૦ કિલોમીટર છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.