Western Times News

Gujarati News

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ૧૦૦ ફિલ્મોના શૂટિંગ બંધ રહ્યા

મુંબઈ, રામલલા આવી રહ્યા છે. આ વાતની ખુશી દરેક દેશવાસીને છે. તમામ લોકો આ ભાવુક ક્ષણની રાહ જાેઈ રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક રાજ્યોમાં જાહેર રજા તો અમુક રાજ્યોમાં હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. હવે રિપોર્ટ આવી રહ્યો છે કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોયે સોમવારના દિવસે નેશનલ હોલિડે જાહેર કરી દીધો છે.

મતલબ કે ૨૨ જાન્યુઆરીના રોજ બોલીવુડ બંધ રહેશે. પ્રેસિડેંટ બીએન તિવારીએ પોતાના નિવેદનમાં આ વાતની જાહેરાત કરી છે. સ્ટેટમેંટમાં કહેવાયું છે કે, અમે આ ખાસ અવસર પર હોલિડે જાહેર કર્યો છે. આ દિવસે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ નહીં થાય, કારણ કે અમારા દરેક વર્કર્સ રજા પર રહેશે. આપને જણાવી દઈએ કે, તિવારીએ એવું પણ કહ્યું કે, જાે કોઈ ઈમરજન્સી સિચ્યૂએશન હશે અથવા કોઈનું નુકસાન થઈ રહ્યું હશે અને વેલિડ રિઝન સાથે એક રિક્વેસ્ટ લેટરની જરુર પડશે.

ફક્ત આવા કેસની ગંભીરતા જાેતા શૂટિંગની પરમીશન આપવામાં આવશે. અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર દેશભરમાં અલગ જ હલચલ જાેવા મળશે. તેનો આનંદ આપ સારી રીતે લઈ શકો તેના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ ૭૦થી વધારે શહેરોમાં અને ૧૬૦થી વધારે સિનેમાહોલ્સમાં થવા જઈ રહ્યું છે. તેની ફીસ પણ નક્કી કરી છે.

તમે ૧૦૦ રૂપિયામાં નજીકના સિનેમાઘરમાં જઈને આ લાઈવ ટેલિકાસ્ટ જાેઈ શકશો. આપને જણાવી દઈએ કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર કેટલાય કલાકારોને ઈનવાઈટ કર્યા છે. તેમાં બોલીવુડ અને સાઉથ ઈંડસ્ટ્રીના કલાકારો સામેલ છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ઉપરાંત અનુપમ ખેર, અજય દેવગન, સની દેઓલ, હેમા માલિની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મધુર ભંડારકર અને સંજય લીલા ભંસાલીને પણ બોલાવ્યા છે. આ ઉપરાંત સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી, રજનીકાંત, ઋષભ શેટ્ટી, યશ, પ્રભાસ અને મોહનલલાલ સહિત અન્ય સ્ટાર્સ સામેલ છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.